આપણું ગુજરાત

છોટા-ઉદેપુર ડમી કચેરી કૌભાંડમાં ગુજરાતના મોટા માથાની સંડોવણીની આશંકા, આરોપીની માતાએ કર્યો બચાવ

છોટા ઉદેપુર જિલ્લાના બોડેલીમાં નકલી સરકારી કચેરી ઉભી કરીને 4 કરોડથી વધુ રૂપિયાની સરકારી ગ્રાન્ટની ઉચાપતના કૌભાંડમાં પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. પોલીસે આરોપીઓના રિમાન્ડ મેળવી આજે આરોપીઓને સાથે રાખી ઘટનાનું રિ-કન્સ્ટ્રક્શન કરાવ્યું હતું.

આ અંગે બોડેલીના સિંચાઇ વિભાગના કાર્યપાલક ઇજનેર ધવલ પટેલે નિવેદન આપ્યું હતું કે પ્રાયોજના વહીવટી અધિકારીના કામના આયોજન માટે બેઠક બોલાવી હતી એ સમયે બેઠકમાં ખોટી દરખાસ્તો ધ્યાનમાં આવી હતી. આદિવાસી વિસ્તારના કામોની ચર્ચા થઇ ત્યારે સંદીપ રાજપૂત નામનો કોઇ વ્યક્તિ કામ કરતો નથી તેવો ઘટસ્ફોટ થતા અમે તરત જ પોલીસને તપાસ સોંપી દીધી હતી.

પોલીસે આરોપી સંદીપ રાજપૂત અને અબુ સૈયદ નામના તેના સાગરિતને સાથે રાખીને ઘટનાનું રિ-કન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. સમગ્ર કૌભાંડમાં સિંચાઇ વિભાગના કર્મચારીઓ પણ સંકળાયેલા હોય તેવી શક્યતા છે. આ બધા વિવાદ વચ્ચે આરોપીની માતાનું નિવેદન સામે આવ્યું છે. કેટલાક મીડિયા અહેવાલો મુજબ આરોપીની માતાએ જણાવ્યું છે કે તેના ડોક્યુમેન્ટનો ખોટો ઉપયોગ કરી આ કેસમાં તેને ફસાવવામાં આવ્યો છે.

મારો દીકરો કોઇ ફરદીન કરીને માણસ છે એના માટે કામ કરતો હતો. આ કાંડમાં અનેક મોટામાથા સંડોવાયેલા છે અને મારા પુત્રનું નામ ખોટી રીતે લેવાઇ રહ્યું છે. તેણે જો કૌભાંડ જ કરવું હોત તો તે મકાન લોન પર શું કામ લે, તેવું આરોપીની માતા જણાવી રહી છે.

જો કે પ્રાયોજના વહીવટદારની કચેરી અને સિંચાઇ વિભાગના અધિકારીઓ સામે પણ આ કેસમાં તપાસ થવી જોઇએ. કૌભાંડનો આંકડો આટલો મોટો હોય ત્યારે સ્વાભાવિક છે કોઇ એક વ્યક્તિનું આ કામ ન હોઇ શકે. આવનારા દિવસોમાં હવે તપાસનો રેલો ક્યાં આવી પહોંચે છે તે જોવું રહ્યું.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
“How to Tell if a Watermelon is Ripe: Simple Tips for Sweetness and Color” IPL’s Most Consistent Hitters: Who Rules the Run Charts? બોલીવૂડના સેલેબ્સ પ્રોફેશનલ લાઈફની જેમ જ પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં રહે છે ચાલો દિયા મિર્ઝાના ઘરની લટાર મારીએ