આમચી મુંબઈમહારાષ્ટ્ર

બેલાપુર કિલ્લાનું સૌંદર્યકરણ અટક્યું

દરિયા કિનારાની સુરક્ષાના હેતુથી કિલ્લો બનાવવામાં આવ્યો હતો

નવી મુંબઈ : નવી મુંબઈના એકમાત્ર ઐતિહાસિક વારસા સમાન એવા બેલાપુર કિલ્લાના સંવર્ધન અને સૌંદર્યકરણનું કામ વર્ષ 2019માં શરૂ કરવામાં આવ્યું હતું. જ્યારે આ કામ શરૂ કરવામાં આવ્યું ત્યારે એવી ધારણા હતી કે આ કામ બે વર્ષમાં પૂર્ણ થશે, પરંતુ આ કામના ચાર વર્ષ થવા છતાં તે પૂર્ણ થઈ શક્યું નથી. છેલ્લા એક વર્ષથી કિલ્લાના સંવર્ધન અને સૌંદર્યકરણનું કામ સંપૂર્ણપણે અટકી ગયું છે. આ અટકેલી કામગીરીના કારણે સ્થાનિક નાગરિકો નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. એવું કહેવાય છે કે આ કિલ્લો 1560માં બેલાપુરની પહાડી પર સમુદ્ર કિનારાની સુરક્ષાના હેતુથી બનાવવામાં આવ્યો હતો.

ચીમાજી આપ્પાએ 1733માં સ્વરાજ્યનું જોડાણ કર્યું
ઈતિહાસ મુજબ 1733માં ચીમાજી આપ્પાએ આ કિલ્લાને સ્વરાજ્યમાં સામેલ કર્યો હતો. આ કિલ્લો લગભગ 84 વર્ષ સુધી મરાઠા સામ્રાજ્યનો ભાગ રહ્યો. આ ઐતિહાસિક કિલ્લામાં પાંચ બુર્જ બનાવવામાં આવ્યા હતા, જેમાંથી ત્રણ બુર્જ પર્વતમાં ભળી ગયા હતા પરંતુ બે બુર્જના અવશેષો હજુ પણ બાકી છે. આ કિલ્લાને સુધારવા અને જાળવવા માટે, પ્રાચીન પુરાતત્ત્વ વિભાગ સાથે અનેક પત્રવ્યવહાર કરવામાં આવ્યો હતો.

પર્યટન સ્થળમાં ફેરવવાનો વિચાર
માહિતી મુજબ આ કિલ્લાનું નવીનીકરણ અને કિલ્લાની આસપાસના વિસ્તારને સુંદર બનાવીને પર્યટન સ્થળ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું, પરંતુ હાલમાં આ કિલ્લાની આસપાસ માત્ર સંરક્ષણ દિવાલ બનાવવાનું કામ જ જોવા મળે છે, આ સિવાય અન્ય કોઈ કામ કરવામાં આવ્યું નથી. માહિતી અનુસાર પર્યટનના દૃષ્ટિકોણથી, બેલાપુર કિલ્લા સંકુલમાં એમ્ફી થિયેટર, ફૂડ કોર્ટ, વોકિંગ ટાવર અને વાહન પાર્કિંગનું નિર્માણ થવાનું હતું. આ અંગે સિડકોએ પુરાતત્ત્વ વિભાગ સાથે પત્રવ્યવહાર કર્યો છે, પરંતુ પુરાતત્ત્વ વિભાગ પણ આ ઐતિહાસિક કિલ્લા અંગે કોઈ ગંભીર પગલાં લઈ રહ્યું નથી.

આ માટે 18 કરોડનું ફંડ મંજૂર કરવામાં આવ્યું હતું
બેલાપુરના વિધાનસભ્ય મંદા મ્હાત્રેએ પણ ઐતિહાસિક વારસા સમાન બેલાપુર કિલ્લાના સંવર્ધન માટે સિડકોને પત્ર લખ્યો હતો. આ ઐતિહાસિક વારસાને બચાવવાનો નિર્ણય લઈને સિડકોએ 2019માં આ કિલ્લાના સોંદર્યકરણનું કામ પણ શરૂ કર્યું હતું. આ ઉપરાંત આ માટે 18 કરોડ રૂપિયાનું ફંડ પણ મંજૂર કરવામાં આવ્યું હતું. પાલિકાના હેડક્વાર્ટર સામે બનેલા ટાવરના સંરક્ષણની કામગીરી પણ શરૂ કરવામાં આવી હતી. એવું કહેવામાં આવ્યું હતું કે ટાવરને સાચવવા માટે સિમેન્ટનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જેનો કેટલાક લોકોએ વિરોધ કર્યો હતો. વિરોધ કરી રહેલા લોકોએ કહ્યું કે, આ ઐતિહાસિક ધરોહર છે, તેથી જો પુન:સંગ્રહનું કામ કરવામાં આવે તો તેમાં ચૂનો, ગોળ અને રેતીનો ઉપયોગ કરવો જોઈએ. આ વિરોધ બાદ આ કિલ્લાના જીર્ણોદ્ધારનું કામ બંધ કરી દેવામાં આવ્યું હતું પરંતુ તે પછી આજદિન સુધી ફરીથી કામ શરૂ કરવામાં આવ્યું નથી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Hairstyles of Indian Cricketers which are loved by fans Reasons behind lack of Vitamin D in your body રવિવારે અમદાવાદમાં હાર્દિક હાર્યો એ પહેલાં ફૅન્સનો ‘શિકાર’ થયો Top Pics: ધક ધક ગર્લ માધુરીના મનમોહક લુક્સ