નેશનલ

જેલમાં રહેલા આઝમ ખાન છે બેચેન

પરિવારની યાદ સતાવે છે

સીતાપુરઃ યુપીની સીતાપુર જિલ્લા જેલમાં બંધ સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા આઝમ ખાન અસ્વસ્થતા અનુભવી રહ્યા છે. એમ કહેવામાં આવી રહ્યું છે કે આઝમ ખાન પરિવારથી અલગ થયા બાદ બેચેન દેખાઈ રહ્યા છે. આઝમ ખાનને સીતાપુરમાં, તેમના પુત્ર અબ્દુલ્લા આઝમને હરદોઈમાં, જ્યારે તેમની પત્ની તન્ઝીન ફાતમાને રામપુર જેલમાં રાખવામાં આવ્યા છે. જેના કારણે આઝમ ખાન પરિવારથી દૂર રહેવાથી પરેશાન છે.

આઝમ ખાનની બેચેનીના કારણે જેલના ડોક્ટર દ્વારા તેમના દાંતની તપાસ પણ કરવામાં આવી હતી, જેમાં તેમની તબિયત બિલકુલ ઠીક હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું. આ પછી, એવું માનવામાં આવે છે કે આઝમ ખાનની બેચેની પરિવારથી અલગ થવાને કારણે છે. જો આઝમ ખાનને આપવામાં આવતા ભોજનની વાત કરીએ તો તેમને પણ એ જ ભોજન આપવામાં આવે છે જે ભોજન સામાન્ય કેદીઓને આપવામાં આવે છે. તેણે એ જ ખોરાક ખાધો, જેમાં દાળ, રોટલી અને શાકભાજીનો સમાવેશ થતો હતો.


આઝમ ખાને જેલ પ્રશાસન પાસેથી ઈતિહાસની પુસ્તક વાંચવા માટે માંગી હતી, પરંતુ થોડા સમય પછી તેણે તે પણ લાવવાની ના પાડી દીધી. આઝમ ખાનને સીતાપુર જેલમાં બંધ બે દિવસ થઈ ગયા છે. આ બે દિવસોમાં ખાસથી લઈને સામાન્ય લોકોએ અંતર જાળવી રાખ્યું છે. આ બે દિવસમાં ન તો પાર્ટીનો કોઈ નેતા આઝમ ખાનને મળવા આવ્યો છે અને ન તો સ્થાનિક લોકોએ તેમને મળવાનો પ્રયાસ કર્યો છે.


આવી સ્થિતિમાં, માનવામાં આવે છે કે આઝમ ખાન પર ચાલી રહેલી ED અને IT તપાસને કારણે નાનાથી લઈને મોટા નેતાઓએ તેમનાથી અંતર બનાવી રાખ્યું છે.

આઝમ ખાનના પરિવાર પર ખોટા જન્મ પ્રમાણપત્રનો આરોપ છે. એમ જાણવા મળ્યુંછે કે આઝમખાનના પુત્ર અબ્દુલ્લા આઝંમ પાસે બે અલગ-અલગ બર્થ સર્ટિફિકેટ છે. 28 જૂન 2012ના રોજ રામપુર નગરપાલિકા દ્વારા જારી કરાયેલ એકમાં રામપુરને અબ્દુલ્લાના જન્મસ્થળ તરીકે દર્શાવવામાં આવ્યું છે. બીજું જન્મ પ્રમાણપત્ર જાન્યુઆરી 2015માં જારી કરવામાં આવ્યું છે, જેમાં લખનઊને તેનું જન્મસ્થળ બતાવવામાં આવ્યું છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
હાઈ બ્લડપ્રેશર છે? ભૂલથી પણ નહીં ખાતા આ વસ્તુઓ… Hina Khan’s Top 10 Stunning Outfits મુંબઈની હતાશ ટીમ માટે સચિનની સંજીવની વહેલાસર કારગત નીવડશે? IPL Mystery Girls : captured on camera went viral