Homeટોપ ન્યૂઝSupreme Court: જસ્ટિસ ચંદ્રચુડ બન્યા દેશના 50મા મુખ્ય ન્યાયાધીશ

Supreme Court: જસ્ટિસ ચંદ્રચુડ બન્યા દેશના 50મા મુખ્ય ન્યાયાધીશ

જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે આજે દેશના 50મા મુખ્ય ન્યાયાધીશ(CJI) તરીકે શપથ લીધા હતા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત એક કાર્યક્રમમાં ડીવાય ચંદ્રચુડને મુખ્ય ન્યાયાધીશ તરીકેના શપથ લેવડાવ્યા હતા. તેઓ નિવૃત્ત થઈ રહેલા CJI યુ યુ લલિતનું સ્થાન લેશ. અગાઉ 6 નવેમ્બરે CJI યુ યુ લલિતને ઔપચારિક બેંચની રચના કરીને વિદાય આપવામાં આવી હતી.
જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે સોમવારે કહ્યું હતું કે જસ્ટિસ યુયુ લલિતના અનુગામી તરીકે તેમના ખભા પર મોટી જવાબદારીઓ છે અને તેઓ આશા રાખે છે કે તેમણે જે “સારા કામ” શરૂ કર્યા છે તેને આગળ વધારશે.
જસ્ટિસ ચંદ્રચુડ ઐતિહાસિક ચુકાદાઓ આપનારી અનેક બંધારણીય બેંચો અને સુપ્રીમ કોર્ટની બેન્ચનો ભાગ રહ્યા છે. તેમણે અયોધ્યા જમીન વિવાદ, આઈપીસીની કલમ 377 હેઠળ સમલૈંગિક સંબંધોને અપરાધ ન ગણવા, આધાર યોજનાની માન્યતા સાથે સંબંધિત બાબતો, સબરીમાલા મુદ્દો, સેનામાં મહિલા અધિકારીઓને કાયમી કમિશન, ભારતીય નૌકાદળમાં મહિલા અધિકારીઓને કાયમી કમિશન જેવા કેસમાં સુનાવણી કરી છે.
જસ્ટિસ ચંદ્રચુડ સુપ્રીમ કોર્ટસાથે નજીકથી જોડાયેલા છે. તેમના પિતા લગભગ સાત વર્ષ અને ચાર મહિના સુધી મુખ્ય ન્યાયાધીશ હતા, જે સર્વોચ્ચ અદાલતના ઇતિહાસમાં CJIનો સૌથી લાંબો કાર્યકાળ હતો. તેઓ 22 ફેબ્રુઆરી 1978 થી 11 જુલાઈ 1985 સુધી મુખ્ય ન્યાયાધીશ હતા.
જસ્ટિસ ધનંજય યશવંત ચંદ્રચુડનો જન્મ 11 નવેમ્બર 1959ના રોજ થયો હતો. તેમના પિતા યશવંત વિષ્ણુ ચંદ્રચુડ ભારતની સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ હતા અને તેમની માતા પ્રભા શાસ્ત્રીય સંગીતકાર છે. તેમણે રાષ્ટ્રીય રાજધાનીમાં સેન્ટ સ્ટીફન્સ કોલેજમાંથી અર્થશાસ્ત્રમાં બીએ ઓનર્સ કર્યું. આ પછી તેણે દિલ્હી યુનિવર્સિટીના કેમ્પસ લો સેન્ટરમાંથી એલએલબી કર્યું. ત્યારબાદ તેણે યુએસએની હાર્વર્ડ લો સ્કૂલમાંથી ફોરેન્સિક સાયન્સમાં એલએલએમ અને ડોક્ટરેટની પદવી મેળવી.

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -