Homeઆમચી મુંબઈછઠ પૂજા પર રેલવેની સુપ્રીમ વ્યવસ્થા! મુંબઈ-પુણેથી દોડાવાશે સ્પેશિયલ ટ્રેન

છઠ પૂજા પર રેલવેની સુપ્રીમ વ્યવસ્થા! મુંબઈ-પુણેથી દોડાવાશે સ્પેશિયલ ટ્રેન

કાર્તિક માસના શુક્લ પક્ષના છઠના દિવસે ઉત્તર પ્રદેશ અને બિહારના લોકોના આવી રહેલા છઠ તહેવાર માટે, રેલવે પ્રશાસને મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસથી બિહારના દાનાપુર સુધી બે-બે ટ્રીપ ચલાવવાનો નિર્ણય લીધો છે. આ ઉપરાંત પુણે-દાનાપુર વચ્ચે એક અનરિઝર્વ્ડ સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવશે.

આ ટ્રેન પશ્ચિમ મધ્ય રેલવેના ઈટારસી, જબલપુર અને સતના સ્ટેશનો થઈને દાનાપુર જશે. ટ્રેન નંબર 01411 CSMT-દાનાપુર સ્પેશિયલ ટ્રેન 26 અને 29 ઓક્ટોબરના રોજ 11:55 કલાકે સીએસએમટી સ્ટેશનથી પ્રસ્થાન કરશે અને બીજા દિવસે 00:20 કલાકે ઈટારસી, 04:30 કલાકે જબલપુર, 08:25 કલાકે સતના અને 17 કલાકે દાનાપુર સ્ટેશન પર પહોંચશે.

એવી જ રીતે ટ્રેન નંબર 01412 દાનાપુર – CSMT સ્પેશિયલ ટ્રેન દાનાપુર સ્ટેશનથી 27 અને 30 ઓક્ટોબરના રોજ 19:55 કલાકે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે 04:25 કલાકે સતના, 07:00 કલાકે જબલપુર, 10.40 કલાકે ઈટારસી અને 23:50 કલાકે CSMT સ્ટેશન પહોંચશે.

આ ટ્રેનમાં 16 જનરલ ક્લાસ અને 2 SLRD સહિત કુલ 18 કોચ હશે. બંને દિશામાં માર્ગમાં આ ટ્રેન દાદર, કલ્યાણ, નાશિક રોડ, ભુસાવલ, ખંડવા, ઇટારસી, જબલપુર, સતના, માણિકપુર, પ્રયાગરાજ છિવકી, પંડિત દીન દયાલ ઉપાધ્યાય જંક્શન, બક્સર અને આરા સ્ટેશનો પર ઉભી રહેશે.

એવી જ રીતે 01415 પુણે-દાનાપુર સ્પેશિયલ ટ્રેન પુણે સ્ટેશનથી 28 ઓક્ટોબરે 00.10 કલાકે ઉપડશે અને આગામી દિવસ 08:00 વાગ્યે દાનાપુર સ્ટેશન પહોંચશે. ત્યાર બાદ ટ્રેન નંબર 01416 દાનાપુર – પુણે સ્પેશિયલ ટ્રેન દાનાપુર સ્ટેશનથી 29 ઓક્ટોબરના રોજ 11:00 કલાકે ઉપડશે અને બીજા દિવસે 16:30 કલાકે પુણે પહોંચશે.

આ ટ્રેનમાં 14 જનરલ ક્લાસ અને બે SLRD સહિત કુલ 16 કોચ હશે. માર્ગમાં, આ ટ્રેન બંને દિશામાં દાઉન્ડ ચોર્ડ લાઇન, અહેમદનગર, કોપરગાંવ, મનમાડ, ભુસાવલ, ઇટારસી, જબલપુર, સતના, પ્રયાગરાજ છિવકી, પંડિત દીન દયાલ ઉપાધ્યાય જંક્શન, બક્સર અને આરા સ્ટેશનો પર ઉભી રહેશે.

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -