Homeઆમચી મુંબઈBMC ચૂંટણી પૂર્વે રાજ્ય સરકારે MHADAની ઇમારતના રિડેવલપમેન્ટને આપી મંજૂરી, હજારો પરિવારોને...

BMC ચૂંટણી પૂર્વે રાજ્ય સરકારે MHADAની ઇમારતના રિડેવલપમેન્ટને આપી મંજૂરી, હજારો પરિવારોને થશે લાભ

મુંબઇમાં થોડા સમયમાં બીએમસીની ચૂંટણી યોજાવાની છે. બીએમસીની ચૂંટણી પહેલા રાજ્યની શિંદે-ફડણવીસ સરકાર એક જાહેરનામુ બહાર પાડીને દ. મુંબઇમાં આવેલી 30થી વધુ વર્ષ જૂની અને જર્જરિત હાલતમાં રહેલી મ્હાડાની 388 ઇમારતના પુનઃવિકાસનો માર્ગ મોકળો કરશે. આ ઇમારતોમાં આશરે 30,000થી 40,000 પરિવાર રહે છે. આ બધા પરિવારોને સરકારના આ નિર્ણયથી ફાયદો થશે. એમ માનવામાં આવે છે કે શિંદે સરકારનું આ પગલું આગામી બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીને નજરમાં રાખીને લેવામાં આવ્યું છે. હાલમાં શિંદે કેમ્પ ભાજપ સાથે ગઠબંધનમાં રાજ્યમાં સત્તા પર છે. તેમના આ પગલાથી ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે જૂથને હરાવવા અને પાલિકાની સત્તા સંભાળવાનો તેમનો ઇરાદો સ્પષ્ટ થાય છે.
શિંદે ફડણવીસ સરકારે ડેવલપમેન્ટ કંટ્રોલ રેગ્યુલેશન (ડીસીઆર)ની કલમ 33(7) મુજબ જૂની ઇમારતોને 3 ફ્લોર સ્પેસ ઇન્ડેક્સ (FSI) અથવા 78% ની ન્યૂનતમ વધારાની પ્રોત્સાહક FSI સાથે રિડેવલપ કરવા માટે સૈદ્ધાંતિક મંજૂરી આપવાનો નિર્ણય લીધો છે. અગાઉ મ્હાડાની પુનઃનિર્માણ કરાયેલી ઇમારતોમાંથી માત્ર 66 જ વડા પ્રધાન ગ્રાન્ટ પ્રોજેક્ટ (PMGP) હેઠળ વધારાના પ્રોત્સાહનો સાથે રિડેવલપ કરવામાં આવી હતી હવે દ. મુંબઇની બાકીની 388 ઇમારતોને આ લાભ મળશે. આ બધી એવી ઇમારતો છે જેનું ભૂતકાળમાં પુનઃનિર્માણ કરવામાં આવ્યું હતું, પરંતુ હાલમાં તે જર્જરિત અવસ્થામાં હોઇ તેને રિડેવલપ કરવાની તાતી જરૂર છે.
રાજ્ય સરકાર એક અઠવાડિયાની અંદર આ અંગે નિર્ણય લઇ લેશે, જેનાથી જૂની અને જર્જરિત ઇમારતોમાં રહેતા હજારો લોકોને રાહત મળશે . આ નિર્ણયને કારણે હવે 160/225 ચોરસફૂટ એરિયાના ઘરમાં રહેતા રહેવાસીઓને 400 ચોરસફૂટના નવા ઘર મળશે.

 

 

3 COMMENTS

  1. પરા વિસ્તારમાં આવેલા પાઘડી ના મકાન માં રહેતા હોય ને BMC એ c1 એટલે ન રહેવા લાયક મકાન જાહેર કરવામાં આવ્યું હોય જેમાં મકાન માલિક redevelopment અથવા રીપેરીંગ ની અનુમતિ ન આપે ને મકાન માલિક પોતે જાતે કઈ ન કરે ને ભાડૂત ને પણ કઈ ન કરવા દે તેના માટે પણ સરકારે કઈક પગલાં લેવા જોઈએ , આજ ના સમય માં આવા લાખો લોકો પાઘડી ના મકાન માં રહેતા હોય છે , કેટલાક મકાનો છેલા દસ પંદર વર્ષો પહેલાં તોડી પાડવામાં આવ્યા છે ને હજી સુધી ત્યાં નવા મકાન બન્યા નાથી . તેમાં રહેતા જૂના ભાડુતો જેઓ અત્યંત માધ્યમ વર્ગ ના છે જીમની પરિસ્થિતિ અત્યંત કફોડી હાલત માં જીવી રહ્યા છે . માટે સરકારે તેમને પણ ન્યાય મળે તેવા પગલાં લેવા જોઈએ .

    ધર્મેન્દ્ર વ્યાસ ,
    Admin પાઘડી ભાડૂત ગ્રુપ
    9820060651

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -