Homeઆમચી મુંબઈશરદ પવારની એક ગુગલીથી અજીત પવાર થ‌ઈ ગયા ક્લિન બોલ્ડ

શરદ પવારની એક ગુગલીથી અજીત પવાર થ‌ઈ ગયા ક્લિન બોલ્ડ

દેશના રાજકારણના ચાણક્ય કહેવાતા શરદ પવારના મનમાં શું ચાલી રહ્યું છે તે સમજવું ખૂબ મુશ્કેલ છે. રાજીનામું આપતા પહેલા શરદ પવારે કહ્યું હતું કે ભાખરી ફેરવવાનો સમય આવી ગયો છે. તેમના આ વિધાન અંગે અનેક તર્કવિતર્ક ચાલતા હતા, પણ ગઇકાલે જ્યારે શરદ પવારે રાજીનામું પાછું લઈ લીધું, ત્યારે લોકો પવારની પાવર ગેમ સમજી ગયા છે.

શરદ પવારના અધ્યક્ષ પદેથી રાજીનામું આપવાની જાહેરાત બાદ એનસીપીમાં સર્જાયેલું તોફાન આખરે તેમના રાજીનામાથી કોઈ નુકસાન પહોંચાડ્યા વિના શાંત થઈ ગયું છે. પવારના દાવથી તેમના ભત્રીજા અજિત પવારને હાલ પૂરતી ચિંતા થઈ ગઈ છે અને આ સમગ્ર પ્રકરણમાં પવાર પછી પુત્રી સુપ્રિયા સુલે પક્ષના નેતાઓની પ્રથમ પસંદગી તરીકે ઉભરી આવી છે.

ચાર દિવસ સુધી ચાલેલા આ સમગ્ર એપિસોડમાં એ સાબિત થઈ ગયું છે કે NCPમાં અજિત પવાર મોટા અને મજબૂત નેતા હોવા છતાં, પાર્ટી હજુ પણ સંપૂર્ણપણે શરદ પવાર પર નિર્ભર છે. ચૂંટણી પંચે તાજેતરમાં NCPનો રાષ્ટ્રીય દરજ્જો નાબૂદ કર્યો છે, ત્યારે અન્ય રાજ્યોમાં થોડો પણ સ્વીકાર હોય એવો પવાર સિવાય કોઈ નેતા નથી અને શરદ પવાર વિના પક્ષનું ટકી રહેવું મુશ્કેલ છે તે સ્થાપિત થઈ ગયું છે. એ પણ સિદ્ધ થઇ ગયું છે કે શરદ પવાર પછી જો તેમનો અનુગામી હોય તો તે શરદ પવારની પુત્રી સુપ્રિયા સુલે હશે. કારણ કે, શરદ પવારે નિર્ણય પાછો ન ખેંચવાની સ્થિતિમાં પાર્ટીના મોટાભાગના નેતાઓ સુપ્રિયા સુલેના નામ પર સંમત થયા હતા. શરદ પવાર સુપ્રિયા સુલેને તેમની પાર્ટીના રાષ્ટ્રીય મંચ પર ટોચ પર લાવ્યા છે. પવારે પોતાની પ્રેસ કોન્ફરન્સમાં એ પણ સ્પષ્ટ કર્યું હતું કે જો કોઈ પક્ષ છોડવા માંગે છે તો તેને કોઈ રોકી શકતું નથી.

શરદ પવારે અજિત પવારને માત આપી છે અને હવે અજિત પવાર માટે શરદ પવારની ઈચ્છા વિરુદ્ધ કોઈ નિર્ણય લેવો વધુ મુશ્કેલ બની ગયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -