Homeઆમચી મુંબઈ... અને સમૃદ્ધિ એક્સપ્રેસ હાઈવે પર બિયરની બોટલની રેલમછેલ થઈ!

… અને સમૃદ્ધિ એક્સપ્રેસ હાઈવે પર બિયરની બોટલની રેલમછેલ થઈ!

  • સમૃદ્ધિ મહામાર્ગ જ્યારથી જનતા માટે ખુલ્લો મુકાયો છે ત્યારથી લઈને કોઈને કોઈ કારણસર આ માર્ગ ચર્ચામાં રહે જ છે. ફરી એક વખત એક્સપ્રેસ હાઈવે ચર્ચામાં આવ્યો છે અને એનું કારણ છે સોમવારે વહેલી સવારે આ રસ્તા પર થયેલાં અકસ્માતને કારણે એક આખી ટ્રક ઉંધી વળી ગઈ હતી અને એને કારણે રસ્તા પર જ્યાં જુઓ ત્યાં બસ બિયરની બોટલ્સ જ દેખાઈ રહી હતી. આ અકસ્માત બાદ સ્થાનિકોએ શક્ય એટલી બિયરની બાટલીઓ એકઠી કરી લેવા માટે રીતસરની પડાપડી જ કરી હતા. દારુબંધીવાળા જિલ્લામાં બિયરની બોટલ લઈ જતી ટ્રક ઉંધી વળી જતા સ્થાનિકોને ચાંદી જ ચાંદી થઈ ગઈ હતી.
  • નાગપુરની ટ્રાન્સપોર્ટ કંપનીનો ટ્રક ઔરંગાબાદથી બિયરના બોક્સ લઈને નાગપુર આવી રહી હતી એ સમયે આ વર્ધા જિલ્લા પાસે ટ્રકની સામે નીલગાય આવી જતાં ટ્રક ઊંધી વળી ગઈ હતી. આ અકસ્માત સોમવારે વહેલી સવારે સાડાચાર વાગ્યાની આસપાસ થયો હતો.
  • આ અકસ્માતને કારણે નવથી દસ લાખ રૂપિયાનું નુકસાન થયું હોવાનો અંદાજ વ્યક્ત કરાઈ રહ્યો હોઈ સદ્ભાગ્યે કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નહોતી. ઘટનાની માહિતી મળતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચીને પંચનામુ શરૂ કરી દીધું હતું. રસ્તા પર બિયરનો ટ્રક ઉંધો વળી ગયો હોવાની માહિતી મળતાં જ નાગરિકોએ પણ ઘટનાસ્થળે પહોંચીને ભેગી કરી શકાય એટલી બિયરની બોટલ્સ ભેગી કરીને ઘરભેગી કરી દીધી હોવાની માહિતી મળી રહી છે.
  • સમૃદ્ધિ મહામાર્ગ પર અકસ્માતનું પ્રમાણ ઘટાડવા માટે પરિવહન વિભાગ દ્વારા કમર કસવામાં આવી હોઈ જૂના ટાયરવાળા વાહનોને આ હાઈવે પર નહીં જવા દેવામાં આવે. જ્યારે એક્ઝિટ મેનેજમેન્ટ સિસ્ટમના માધ્યમથી વાહનોના ઓવરસ્પિડિંગ પર પણ વોચ રાખવામાં આવી રહી છે.
  • સમૃદ્ધિ મહામાર્ગના એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ પર વાહને કેટલા સમયમાં આ અંતર કાપ્યું છે એના પરથી તેની સ્પીડનો અંદાજો કાઢવામાં આવે છે અને જો એમાં ઓવરસ્પિડિંગ જોવા મળે તો વાહનચાલક સામે કાર્યવાહી કરવામાં આવે છે. આ વાહનચાલકને 20 મિનીટ સુધી રોકીને તેનું કાઉન્સેલિંગ કરવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -