Homeઆમચી મુંબઈસમીર વાનખેડેની રાજનીતિમાં એન્ટ્રી?

સમીર વાનખેડેની રાજનીતિમાં એન્ટ્રી?

મહારાષ્ટ્રની આ બેઠક પરથી લડશે લોકસભા!

સમીર વાનખેડેનો તો તમે ઓળખતા જ હશો. NCBના ભૂતપૂર્વ ઝોનલ ડિરેક્ટર અને હાલમાં ટેક્સપેયર સર્વિસીસના મહાનિર્દેશાલયમાં ફરજ બજાવતા સમીર વાનખેડે ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. હાલમાં IRS ઓફિસર સમીર વાનખેડેના રાજકારણમાં પ્રવેશની ચર્ચા થઈ રહી છે. આધારભૂત સૂત્રોના જણાવ્યા અનુસાર, સમીર વાનખેડે 2024માં લોકસભા ચૂંટણી લડી શકે છે. સમીર વાનખેડેએ નાગપુરમાં સંઘના મુખ્યાલયમાં ઘણા વરિષ્ઠ નેતાઓનો સંપર્ક કર્યો છે, તેથી આ ચર્ચાઓ શરૂ થઈ છે. એમ જાણવા મળ્યું છે કે સમીર વાનખેડે ભાજપની ટિકિટ પર વાશિમથી ચૂંટણી લડશે.

જ્યારે સમીર વાનખેડેને આ વિશે પૂછવામાં આવ્યું તો તેમણે આ વિશે કંઈપણ કહેવાનો ઈન્કાર કર્યો હતો. અગાઉ સમીર વાનખેડે અનેકવાર વાશિમની મુલાકાત લઈ ચૂક્યા છે. સમીર વાનખેડે વાશીમના વતની છે. વાશિમ પ્રવાસ દરમિયાન પણ સમીર વાનખેડેને રાજકીય પક્ષમાં જોડાવા વિશે ઘણી વખત પૂછવામાં આવ્યું હતું, પરંતુ તેમણે ક્યારેય કોઈ સત્તાવાર જવાબ આપ્યો નહોતો. સમીર વાનખેડેએ નાગપુરમાં સંઘના મુખ્યાલયમાં ઘણા વરિષ્ઠ નેતાઓનો સંપર્ક કર્યો છે, તેથી આ ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સમીર વાનખેડે 2024 પહેલા ભાજપમાં જોડાઈ શકે છે અને વાશિમ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી શકે છે.

સમીર વાનખેડે જ્યારે એનસીબીના ઝોનલ ડિરેક્ટર હતા ત્યારે સૌથી વધુ ચર્ચામાં હતા. ત્યારબાદ તેઓએ શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની ધરપકડ કરી હતી. આટલું જ નહીં, સમીર વાનખેડેએ સુશાંત સિંહ રાજપૂત મૃત્યુ કેસમાં ડ્રગ્સના ઘણા કિસ્સાઓ સામે લાવ્યા હતા, જેણે બોલિવૂડમાં હલચલ મચાવી દીધી હતી. સમીર વાનખેડે જ્યારે NCBના ઝોનલ ડાયરેક્ટર હતા, તેમણે દાઉદના માણસોની ધરપકડ સહિત ડ્રગ રેકેટ પર મોટાપાયે કાર્યવાહી હાથ ધરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -