Homeટોપ ન્યૂઝસલમાન ખુર્શીદે રાહુલ ગાંધીની તુલના રામ અને કોંગ્રેસીઓની તુલના ભરત સાથે...

સલમાન ખુર્શીદે રાહુલ ગાંધીની તુલના રામ અને કોંગ્રેસીઓની તુલના ભરત સાથે કરી

કોંગ્રેસ નેતા સલમાન ખુર્શીદે નિવેદન આપતા રાહુલ ગાંધીની તુલના ભગવાન રામ સાથે કરી હતી અને કોંગ્રેસના કાર્યકરોને ભરત કહ્યા હતા. મળતી માહિતી મુજબ સલમાન ખુર્શીદે કહ્યું- “રાહુલ ગાંધી યોગીની તપસ્યાની જેમ તેમના મિશન પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. રાહુલ ગાંધી સુપર હ્યુમન છે જ્યારે આપણે ઠંડીમાં થથરી રહ્યા છીએ અને જેકેટ પહેરી રહ્યા છીએ, તેઓ ટી-શર્ટ પહેરીને બહાર જઈ રહ્યા છે.”
સલમાન ખુર્શીદે કહ્યું કે ભગવાન રામની ખડાઉ(પગરખા) બહુ દૂર સુધી જાય છે. કેટલીકવાર, જ્યારે રામજી પહોંચી શકતા નથી, ત્યારે ભરત ખડાઉ સાથે એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે. આ રીતે અમે યુપીમાં ખડાઉ લાવ્યા છીએ. હવે ખડાઉ આવી છે, તો રામજી પણ આવશે.
ભાજપે સલમાન ખુર્શીદના નિવેદન સામે વાંધો ઉઠાવ્યો છે. ભારતીય જનતા પાર્ટી (BJP)ના પ્રવક્તા શહઝાદ પૂનાવાલાએ ખુર્શીદની ટિપ્પણીને “હિંદુ આસ્થાનું અપમાન” ગણાવી હતી. શહઝાદે ટ્વિટ કર્યું – સલમાન ખુર્શીદે રાહુલ ગાંધીની તુલના ભગવાન શ્રી રામ સાથે કરી અને પોતાની તુલના ભાત સાથે કરી!! તે આઘાતજનક છે! શું તે બીજા ધર્મના દેવતાઓ સાથે કોઈની સરખામણી કરવાની હિંમત કરશે?
શહજાદે પૂનાવાલાએ કહ્યું- જે લોકો રામજીના અસ્તિત્વને નકારીને રામ મંદિરના કામમાં અવરોધ ઉભો કરી રહ્યા છે તેઓ હવે હિંદુ આસ્થાનું અપમાન કરી રહ્યા છે! શું જનોઈધારી રાહુલ આ વાત સાથે સહમત છે?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -