રશિયાએ G7 અને તેમના સહયોગી દેશોને રશિયન ઓઇલ પર પ્રાઇસ કેપ લાદવા માટે સમર્થન ન આપવાના ભારતના નિર્ણયને આવકાર્યો છે. રશિયાના નાયબ વડા પ્રધાન એલેક્ઝાન્ડર નોવાકે રશિયામાં ભારતીય રાજદૂત પવન કપૂર સાથેની મુલાકાત દરમિયાન આ નિવેદન આપ્યું હતું.
નોવાકે જણાવ્યું હતું કે ઉર્જા સંકટ વચ્ચે પૂર્વ-દક્ષિણના દેશોમાં ઊર્જા સંસાધનોની સપ્લાય અને ઊર્જાની નિકાસ માટે રશિયા તેની જવાબદારીઓ માટે સંપૂર્ણપણે જવાબદાર છે. રશિયન વિદેશ મંત્રાલયના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે વર્ષ 2022ના પ્રથમ આઠ મહિનામાં ભારતમાં રશિયાની તેલની આયાત વધીને 16.35 મિલિયન ટન થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે યુક્રેન યુદ્ધ છતાં ભારતે રશિયા પાસેથી તેલ આયાત કરવાનું ચાલુ રાખ્યું હતું.
ભારતીય રાજદૂત પવન કપૂર સાથેની બેઠક દરમિયાન નોવાકે પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીને આંતરરાષ્ટ્રીય મંચ ‘રશિયન એનર્જી વીક 2023’માં ભાગ લેવા આમંત્રણ આપ્યું હતું. તે આવતા વર્ષે 11-13 ઓક્ટોબર દરમિયાન મોસ્કોમાં યોજાશે.