Homeઆપણું ગુજરાત'રાજીવ ગાંધી ફાઉન્ડેશનને ચીનમાંથી ફંડ મળે છે', અમિત શાહનો કોંગ્રેસ પર ગંભીર...

‘રાજીવ ગાંધી ફાઉન્ડેશનને ચીનમાંથી ફંડ મળે છે’, અમિત શાહનો કોંગ્રેસ પર ગંભીર આરોપ

અરુણાચલ પ્રદેશના તવાંગમાં લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ(LAC) પર ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે થયેલ અથડામણ મુદ્દે આજે સંસદમાં વિપક્ષ કેન્દ્ર સરકારને ઘેરવાની તૈયારી કરી રહી છે. કોંગ્રેસ પાર્ટી પીએમ મોદી પાસે જવાબ માંગી રહી છે, AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસી અને કોંગ્રેસના સાંસદ મનીષ તિવારીએ સ્થગિન પ્રસ્તાવની નોટિસ આપી છે. ત્યારે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કોંગ્રેસ પર ગંભીર આરોપ લગાવ્યા છે.
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું કે કોંગ્રેસનું ચીન અંગે બેવડું વલણ છે. ભારતીય સૈનિકોએ થોડી જ વારમાં ચીની સૈનિકોને ભગાડી દીધા હતા. ભારતની એક ઇંચ જમીન પર પણ અતિક્રમણ નથી થયું. કોંગ્રેસ પર પ્રહાર કરતા અમિત શાહે કહ્યું હતું કે નહેરુના ચીન પ્રત્યેના પ્રેમને કારણે સુરક્ષા પરિષદમાં ભારતની સદસ્યતાની બલિ ચડી ગઈ. 1962માં ચીને ભારતની હજારો હેક્ટર જમીન હડપી લીધી. કોંગ્રેસને ચીનમાંથી મોટી રકમ મળે છે. રાજીવ ગાંધી ફાઉન્ડેશનને ચીનમાંથી ફંડ મળે છે.

“>

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું કે વિપક્ષે આજે લોકસભામાં પ્રશ્નકાળ ચાલવા દીધો ન હતો. હું આ કૃત્યની નિંદા કરું છું. સંસદીય બાબતોના પ્રધાને સ્પષ્ટ કહ્યું કે ભારત-ચીન સેના વચ્ચેની અથડામણ પર સંરક્ષણ પ્રધાન સંસદમાં નિવેદન આપશે, છતાં સંસદ ખોરવાઈ ગઈ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -