રેલવે મંત્રાલયે 2023 માટે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા લેવામાં આવનાર સિવિલ સર્વિસ પરીક્ષા દ્વારા ભારતીય રેલવે મેનેજમેન્ટ સર્વિસ માટે અધિકારીઓની ભરતી કરવાનો નિર્ણય લીધો છે.
જોકે, આ અગાઉના આદેશથી વિપરીત છે જેમાં કહેવામાં આવ્યું હતું કે ભારતીય રેલવે મેનેજમેન્ટ સર્વિસમાં ભરતી 2023 થી UPSC દ્વારા આયોજિત કરવામાં આવનાર ખાસ ડિઝાઇન કરેલી IRMS પરીક્ષા દ્વારા કરવામાં આવશે.
રેલવે મંત્રાલયે, યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) અને DoPT સાથે વિચાર વિમશ્ કરીને નિર્ણય લીધો છે કે ભારતીય રેલવે મેનેજમેન્ટ સર્વિસ (IRMS) માં ભરતી વર્ષ 2023 માટે UPSC દ્વારા લેવામાં આવનાર સિવિલ સર્વિસ પરીક્ષા દ્વારા કરવામાં આવશે. જો કે મંત્રાલય આ નિર્ણય પાછળના કારણો અંગે ચુસ્તપણે ચૂપ રહ્યું છે.