Homeદેશ વિદેશજેલમાંથી મુક્ત થયો ખાલિસ્તાની સમર્થક લવપ્રીત તુફાન...

જેલમાંથી મુક્ત થયો ખાલિસ્તાની સમર્થક લવપ્રીત તુફાન…

અમૃતપાલ સિંહના સહયોગી લવપ્રીત તુફાનને પંજાબની અજનલા કોર્ટના આદેશ બાદ અમૃતસર જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો છે. આ અંગે અમૃતસરના એસએસપી ગ્રામીણ સતીન્દર સિંહે જણાવ્યું હતું કે લવપ્રીત તુફાનને છોડવા માટે અરજી આપવામાં આવી હતી. આ સંદર્ભે કોર્ટ દ્વારા તેમને મુક્ત કરવાના આદેશ જારી કરવામાં આવ્યા છે. નોંધનીય છે કે લવપ્રીત તુફાન અમૃતપાલ સિંહ માટે ખૂબ જ ખાસ છે. આ મામલામાં ગુરુવારે પંજાબના અજનાલામાં ‘વારિસ પંજાબ દે’ સાથે જોડાયેલા હજારો લોકોએ હંગામો મચાવ્યો હતો. વારિસ પંજાબ દેના સમર્થકોએ અમૃતસરના અજનલામાં પોલીસ સ્ટેશન પર પણ હુમલો કર્યો હતો. આ લોકો વારિસ પંજાબ દે સંગઠનના પ્રમુખ અમૃતપાલ સિંહના નજીકના સહયોગી લવપ્રીત તુફાનની ધરપકડનો વિરોધ કરી રહ્યા હતા. અમૃતપાલ સિંઘ એક સ્વ-ઘોષિત ધાર્મિક ઉપદેશક છે જે ખાલિસ્તાન ભાવના પ્રત્યે સહાનુભૂતિ ધરાવે છે.

ઉલ્લેખનીય છે કે, પોલીસે અમૃતપાલ સિંહ અને તેના સમર્થકો વિરુદ્ધ એક વ્યક્તિના અપહરણનો કેસ નોંધ્યો હતો. આ કારણે પંજાબના અજનાલામાં અમૃતપાલ સિંહના નેતૃત્વમાં સેંકડો લોકો તલવારો અને અન્ય હથિયારો સાથે એકઠા થયા હતા અને પોલીસ સ્ટેશન પર પણ હુમલો કર્યો હતો. અજનલામાં સ્થિતિને જોતા વધારાના પોલીસ ફોર્સની તૈનાત કરવામાં આવી છે. એસએસપી ગ્રામીણ સતીન્દર સિંહ પણ ઘટનાસ્થળે પોલીસ સ્ટેશનની અંદર હાજર છે. બીજી તરફ, ગુરુવારે બનેલી ઘટના ફરીથી ન બને તે માટે પોલીસ સ્ટેશનને સંપૂર્ણ કોર્ડન કરી દેવામાં આવ્યું છે. અમૃતપાલના પાર્ટનર પપ્પલ પ્રીત સિંહે કહ્યું કે અમૃતપાલ કોઈ અંગત લડાઈ લડી રહ્યો નથી. તે શીખ ધર્મની લડાઈ લડી રહ્યો છે. લવપ્રીત તુફાનની મુક્તિ બાદ તમામ કાર્યકર્તાઓ શ્રી હરમંદિર સાહિબમાં પણ દર્શન કરવા ગયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -