લખનૌ મંડળમાં ડબલિંગના કામને કારણે અમદાવાદથી ઉપડતી/પસાર થતી કેટલીક ટ્રેનો આંશિક રીતે ડાયવર્ટ કરેલા રૂટ પર
દોડશે, તેમ રેલવેએ જણાવ્યું છે.
આ ફેરફાર પ્રવાસીઓએ નોંધી લેવો જરૂરી આથી તમને યાત્રામાં ખલેલ ન પડે. જે ટ્રેનના રૂટને અસર થશે તેની માહિતી આ મુજબ છે. 24માર્ચ2023ની ટ્રેન નંબર09465 અમદાવાદ-દરભંગા સ્પેશિયલ ડાયવર્ટ કરાયેલા રૂટ વાયા બારાબંકી-ગોરખપુર-છપરાના રુટ પર દોડશે. 20માર્ચ, 2023ની ટ્રેન નંબર 09466 દરભંગા – અમદાવાદ સ્પેશિયલ ડાયવર્ટ કરાયેલા રૂટ વાયા છપરા – ગોરખપુર- બારાબંકી-ના રુટ પર દોડશે.
18માર્ચ2023 ની ટ્રેનનંબર 15667 ગાંધીધામ – કામાખ્યા એક્સપ્રેસ ડાયવર્ટ કરાયેલા રૂટ વાયા લખનૌ – પ્રતાપગઢ – વારાણસીના રુટ પર દોડશે.
22માર્ચ2023ની ટ્રેનનંબર 15668 કામાખ્યા – ગાંધીધામ એક્સપ્રેસ ડાયવર્ટ કરાયેલા રૂટ વાયા વારાણસી- પ્રતાપગઢ -લખનૌના રુટ પર દોડશે.
24માર્ચ2023ની ટ્રેનનંબર 15635ઓખા – ગુવાહાટીએક્સપ્રેસ ડાયવર્ટ કરાયેલા રૂટ વાયા લખનૌ – પ્રતાપગઢ – વારાણસીના રુટ પર દોડશે.
20માર્ચ2023ની ટ્રેન નંબર 15636 ગુવાહાટી – ઓખા એક્સપ્રેસ ડાયવર્ટ કરાયેલા રૂટ વાયા વારાણસી- પ્રતાપગઢ -લખનૌના રુટ પર દોડશે.
રેલવેએ યાત્રીઓને આ ફેરફારને ધ્યાનમા રાખવા વિશેષ માહિતી માટે તેમની વેબસાઈટ પર ક્લિક કરવા અનુરોધ કર્યો છે.