Homeઆમચી મુંબઈહવે, મુંબઈ મેટ્રો 1ના મુસાફરો વોટ્સએપ દ્વારા પ્રશ્નો, ફરિયાદ મોકલી શકશે

હવે, મુંબઈ મેટ્રો 1ના મુસાફરો વોટ્સએપ દ્વારા પ્રશ્નો, ફરિયાદ મોકલી શકશે

મુંબઈગરાઓને વધુ સારી સેવા આપવા માટે, મુંબઈ મેટ્રો વન દ્વારા પ્રવાસીઓ માટે WhatsApp દ્વારા ઝડપી પ્રતિભાવ ગ્રાહક સંભાળ સેવા શરૂ કરવામાં આવી છે. તેમની ઝડપી પ્રતિભાવ ગ્રાહક સંભાળ સેવા સોમવાર તારીખ પહેલી મેથી કાર્યરત થઇ છે.

આ સુવિધા સવારે 6:30 થી 10:30 વાગ્યાની વચ્ચે સક્રિયપણે ઉપલબ્ધ રહેશે.
ઉલ્લેખનીય છે કે મુંબઈ મેટ્રો વન સેવા વર્સોવા અને ઘાટકોપર વચ્ચે કાર્યરત છે. મુંબઈ મેટ્રો વને ફરિયાદ પ્રાપ્તિના 72 કલાકની અંદર તમામ પ્રશ્નોનું નિરાકરણ કરવાની ખાતરી આપી છે. મુંબઈ મેટ્રો વન કૉલ સેન્ટર ક્વેરી પર આધારિત વધુ સહાયતા માટે મુસાફરોનો સંપર્ક કરશે.

પ્રશ્નો અને ફરિયાદોનું નિરાકરણ મેળવવા માટે મેટ્રો-1ના પ્રવાસીઓ 9930310900 પર મેસેજ કરી શકે છે. મુસાફરોની સરળતા માટે, મુંબઈ મેટ્રો વન એ મુંબઈ મેટ્રો વન વૉટ્સએપ પેજ પર પહોંચવા માટે સરળ સ્કેનિંગ માટે સ્ટેશનો પરના તમામ કસ્ટમર કેર કાઉન્ટર પર QR કોડ મૂકવાની વ્યવસ્થા કરી છે.

આ સેવા મુસાફરોની સેવા પ્રશ્નો અને ફરિયાદો માટે હાલની ચેનલો ઉપરાંત હશે.

હાલના મોડ્સઃ-

તમામ મેટ્રો સ્ટેશન, કોલ સેન્ટર (022- 30310900)

ઈમેલ (customercare@reliancemumbaimetro)

અને સોશિયલ મીડિયા પર કસ્ટમર કેર ડેસ્કની સુવિધા આપવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -