Homeઆમચી મુંબઈ'પાકિસ્તાનથી મુંબઈ આવ્યા છે ત્રણ આતંકી

‘પાકિસ્તાનથી મુંબઈ આવ્યા છે ત્રણ આતંકી

એક વ્યક્તિએ ફોન પર પોલીસ કંટ્રોલરૂમને મોબાઈલ અને કારનો નંબર આપ્યો

એક અજાણ્યા વ્યક્તિએ મુંબઈ પોલીસ કંટ્રોલને ફોન કર્યો હતો અને દાવો કર્યો હતો કે શુક્રવારે (7 એપ્રિલ) દુબઈથી ત્રણ આતંકવાદીઓ મુંબઈ આવ્યા હતા. આ આતંકવાદીઓનું કનેક્શન પાકિસ્તાન સાથે છે. એટલું જ નહીં, ફોન કરનારે પોલીસને એક મુજીબ સૈયદનું નામ જણાવ્યું અને તેનો મોબાઈલ નંબર અને વાહન નંબર પણ પોલીસને આપ્યો હતો. સૂત્રોએ જણાવ્યું હતું કે ફોન કરનારનું નામ રાજા થોંગે છે જેણે કંટ્રોલ રૂમને ફોન કર્યો હતો. આ કોલ બાદ પોલીસ એલર્ટ મોડ પર આવી ગઈ છે.

ગયા મહિને, 1 માર્ચે, રાત્રે 11 વાગ્યે, એક અજાણ્યા વ્યક્તિએ મુંબઈ પોલીસ કંટ્રોલને ફોન કર્યો હતો અને મુંબઈના કુર્લા (પશ્ચિમ)માં બ્લાસ્ટ વિશે જણાવ્યું હતું. કોલ કરનારે કહ્યું હતું કે આગામી 10 મિનિટમાં કુર્લામાં બ્લાસ્ટ થશે અને આટલું કહીને તેણે કોલ ડિસ્કનેક્ટ કરી દીધો હતો. ફોન કોલ બાદ તરત જ પોલીસે સમય બગાડ્યા વિના તપાસ માટે એક ટીમ બનાવી હતી. જોકે, કલાકોની તપાસ બાદ પણ પોલીસને ત્યાંથી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી ન હતી.

મુંબઈ પોલીસને અગાઉ પણ આવા ફોન આવ્યા હશે, પરંતુ પોલીસ એક પણ કોલ પર બેદરકારી દાખવી શકે નહીં. તેથી જ આ વખતે પણ પોલીસ અધિકારીઓને સતર્ક રહેવા માટે કહેવામાં આવ્યું છે અને વિસ્તારની તપાસ કરવાની સૂચના પણ આપવામાં આવી છે. જો આ માહિતી ખોટી જણાશે કે કોઈ પ્રકારની મજાક હશે તો ફોન કરનાર સામે કાર્યવાહી કરવામાં આવશે. આ પહેલા નાગપુરની બે હોસ્પિટલ, ઈન્દિરા ગાંધી મેડિકલ કોલેજ અને હોસ્પિટલ અને માનકાપુરની મેન્ટલ હોસ્પિટલને પણ ગયા મહિને બોમ્બની ધમકી મળી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -