Homeદેશ વિદેશઓપરેશન કાવેરી: ભારત સુદાનમાંથી 229 લોકોની બીજી બેચ પરત લાવ્યું

ઓપરેશન કાવેરી: ભારત સુદાનમાંથી 229 લોકોની બીજી બેચ પરત લાવ્યું

હિંસાગ્રસ્ત સુદાનમાંથી ફસાયેલા ભારતીયોને બહાર કાઢવાના તેના મિશન હેઠળ ભારત રવિવારે 229 લોકોની બીજી બેચ ઘરે લાવ્યું હતું.

આફ્રિકન દેશમાંથી 365 લોકો દિલ્હી પરત ફર્યાના એક દિવસ બાદ સ્થળાંતર કરનારાઓની નવી બેચ બેંગલુરુ પહોંચી હતી. ઓપરેશન કાવેરી એક વધુ ફ્લાઇટ 229 મુસાફરોને બેંગલુરુ પરત લાવી, વિદેશ પ્રધાન એસ. જયશંકરે ટ્વિટર પર લખ્યું હતું. આ મિશન હેઠળ શુક્રવારે બે બેચમાં 754 લોકો ભારત આવ્યા હતા. સત્તાવાર માહિતી મુજબ સુદાનથી સ્વદેશ પરત લાવવામાં આવેલા ભારતીયોની કુલ સંખ્યા હવે 1,954 થઇ છે.

ભારતીયોને સાઉદી અરેબિયાના શહેર જેદ્દાહથી પરત લાવવામાં આવ્યા હતા જ્યાં ભારતે સ્થળાંતર કરનારાઓ માટે ટ્રાન્ઝિટ કેમ્પ બનાવ્યો છે. 360 સ્થળાંતર કરનારાઓની પ્રથમ બેચ બુધવારે કોમર્શિયલ પ્લેનમાં નવી દિલ્હી પરત આવી હતી. ગુરુવારે ભારતીય વાયુસેના (આઇએએફ)ના સી17 ગ્લોબમાસ્ટર એરક્રાફ્ટમાં 246 સ્થળાંતર કરનારાઓની બીજી બેચ મુંબઈ આવી પહોંચી હતી.

“ઓપરેશન કાવેરી” હેઠળ ભારત તેના નાગરિકોને ખાર્તુમ અને અન્ય મુશ્કેલીગ્રસ્ત વિસ્તારોમાંથી બસોમાં પોર્ટ સુદાન લઈ જઈ રહ્યું છે જ્યાંથી તેમને આઇએએફના ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ અને ભારતીય નૌકાદળના જહાજોમાં જેદ્દાહ લઈ જવામાં આવી રહ્યા છે. જેદ્દાહથી ભારતીયોને કોમર્શિયલ ફ્લાઈટ અથવા આઈએએફના વિમાનમાં સ્વદેશ લાવવામાં આવી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -