ગુજરાતમાં માર્ચ મહિનામાં બે ત્રણ માવઠાંની આગાહી છે. એક આવી ગયું ત્યારે બીજું આજથી શરૂ થયું હોય તેમ જણાય છે. સુરતમાં મોડી સાંજે ઓલપાડ સહિતના અમુક વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. ગુજરાતમાં બે દિવસ વાતાવરણ વાદળછાયું રહે છે અને ખૂબ ઉકળાટ અનુભવાય છે.
ગુજરાતમાં હવામાન ખાતાએ 13,14 અને 15 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી કરી હતી. હવામાન ખાતાએ જણાવ્યું હતું કે અમદાવાદ સહિત 17 જિલ્લાઓ માટે આગાહી. 30થી 40 કિમીની ઝડપે પવન. ફુંકાઈ શકે છે. રાજ્યમાં 5 દિવસ કમોસમી વરસાદની શક્યતા છે.
સાયક્લોનિક સરક્યુલેશન સક્રિય થતાં તેની અસર ગુજરાતના વાતાવરણ પર જોવા મળી રહી છે. રાજ્યના અમુક જિલ્લામાં વાદળછાયું વાતાવરણ સક્રિય રહે છે. વાદળ થતાં જ ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી 5 દિવસ રાજ્યના અમુક જિલ્લામાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ થશે. આજથી અમદાવાદ સહિત 17 જિલ્લામાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદ સામાન્ય આવશે પરંતુ ગાજવીજ અને ભારે પવન ફૂંકાવાની સંભાવના વધારે હોવાનું પણ જાણવા મળ્યું છે.
અમદાવાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, દાહોદ, તાપી, નર્મદા, સુરત,ભરૂચ, છોટા ઉદેપુર, રાજકોટ, જુનાગઢ, અમેરીલ, સુરેન્દ્રનગર, દ્વારકા, પોરબંદર, અને કચ્છમાં 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે અને ગાજવીજ સાથે વરસાદની આગાહી છે.
13 માર્ચથી 16 માર્ચ સુધી પણ બનાસકાંઠા, સાબરકાંઠા, તાપી, નર્મદા, અમરેલી , ભાવનગર,રાજકોટ અને કચ્છમાં 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફુકાશે અને ગાજવીજ સાથે માવઠું થશે. 14 માર્ચે નર્મદા, તાપી, અમરેલી, રાજકોટ અને કચ્છમાં 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફુકાશે અને ગાજવીજ સાથે માવઠું થશે. 15 માર્ચે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, અને કચ્છમાં 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે અને ગાજવીજ સાથે માવઠું થશે જેવી વિગતો વિભાગે આપી હતી. આવનારા ત્રણચાર દિવસમાં રાજ્યભરમાં મિશ્ર વાતાવરણ રહેશે, જે રોગચાળાનું પણ મુખ્ય કારણ છે.
હજુ હમણાં જ માવઠું થતાં ગુજરાતના ખેડૂતોનો ઘઉં અને એરંડા સહિતનો પાક બગડી ગયો છે ત્યારે ફરી વાતાવરણ પલટાતા ખેડૂતો ભારે ચિંતામાં ડૂબી ગયા છે. વળી, આવા માવઠા આવ્યા કરવાની આગાહી પણ કરવામાં આવી છે.