Homeઆમચી મુંબઈમુંબઈ નજીક નૌસેનાનું હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત

મુંબઈ નજીક નૌસેનાનું હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત

મુંબઈ: બુધવારના નેવીનું ALH એરક્રાફ્ટ મુંબઈમાં ક્રેશ થયું હતું, આ એરક્રફ્ટમાં સવાર તમામ ક્રૂ સભ્યો સુરક્ષિત હોવાના સમાચાર મળી રહ્યા છે.
બુધવારે ભારતીય નૌકાદળનું એક હેલિકોપ્ટરે મુંબઈથી નિયમિત ઉડાન ભરી હતી અને તે મુંબઈના દરિયાકાંઠે દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ દુર્ઘટના બાદ તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને નૌકાદળના પેટ્રોલિંગ ક્રાફ્ટ દ્વારા ત્રણ જણને સલામત રીતે ઉગારી લેવામાં આવ્યા હતા. ઘટનાની તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
આ દુર્ઘટનાને પગલે તપાસનો આદેશ આપવામાં આવ્યો છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ભારતીય નૌકાદળ ALH મુંબઈથી નિયમિત ઉડાન ભરીને સમુદ્રકિનારા નજીક આવી ગયું હતું. નૌકાદળના પેટ્રોલિંગ ક્રાફ્ટ દ્વારા તાત્કાલિક શોધ અને બચાવ ત્રણના ક્રૂ સલામત હોવાની માહિતી નૌકાદળના સૂત્રો દ્વારા આપવામાં આવી હતી. ગયા વર્ષે ઓક્ટોબરમાં, અરુણાચલ પ્રદેશમાં આર્મીનું એક હથિયારયુક્ત એડવાન્સ્ડ લાઇટ હેલિકોપ્ટર (ALH) ક્રેશ થયું હતું, જેમાં સવાર તમામ પાંચ જવાનો માર્યા ગયા હતા. જીવલેણ અકસ્માત પછી, દેશમાં સેવામાં રહેલા તમામ ALH માત્ર 300થી વધુ, સાવચેતી તરીકે સલામતી તપાસ માટે ગ્રાઉન્ડ કરવામાં આવ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલા, ભારતીય સેનાનું એક ચિતા હેલિકોપ્ટર કાશ્મીરના ગુરેઝ સેક્ટરમાં ક્રેશ થયું હતું, જેમાં એક પાઇલટનું મૃત્યુ થયું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -