Homeઆમચી મુંબઈભાજપના પરાભવ પછી પવારના નિવાસસ્થાને મળી એમવીએની બેઠક, આ બાબતનો નિર્ધાર

ભાજપના પરાભવ પછી પવારના નિવાસસ્થાને મળી એમવીએની બેઠક, આ બાબતનો નિર્ધાર

મુંબઈઃ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના પ્રમુખ શરદ પવારના નિવાસસ્થાને આજે મહાવિકાસ અઘાડી (એમવીએ)ની બેઠક યોજવામાં આવી હતી. કર્ણાટકની ચૂંટણીમાં ભાજપની હારને કારણે મહારાષ્ટ્રમાં એવીએને આગળ ભાજપ સામે લડવા પ્રોત્સાહન મળ્યું છે અને ભવિષ્યમાં મહાવિકાસ આઘાડી તાકાત સાથે કામ કરશે, એમ બેઠક પછી રાષ્ટ્રવાદીના પ્રદેશ પ્રમુખે જણાવ્યું હતું.

આ બેઠક બાદ મહાવિકાસ આઘાડી (એમવીએ)એ સંયુક્ત પત્રકાર પરિષદ યોજી હતી. આ બેઠક પછી જયંત પાટીલે કહ્યું હતું કે કર્ણાટકમાં તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં ભાજપ (ભારતીય જનતા પાર્ટી)ને ભયંકર હારનો સામનો કરવો પડ્યો છે તેના અંગે આજની બેઠકમાં સમીક્ષા કરવામાં આવી હતી. જોકે, ભાજપ ભ્રષ્ટાચાર, વિવિધ તપાસ એજન્સીઓના દુરુપયોગ અને સ્થાનિક લોકોના અનુભવને જોતો હતો અને તેનું આ પરિણામ મળ્યું છે, એમ તેમણે દાવો કર્યો હતો.

અહીંની બેઠકમાં સુપ્રીમ કોર્ટના ચુકાદાની ત્રણ પક્ષના વડાઓએ ચર્ચા કરવામાં આવી હતી. હાલમાં ઉનાળો હોવાથી મહાવિકાસ અઘાડીની બેઠકો મોકૂફ રાખવામાં આવી છે. એટલું જ નહીં, આગામી દિવસોમાં વરસાદી વાતાવરણ જોયા પછી મીટિંગ શરૂ કરીશું. અમે ત્રણેય પક્ષોના નેતાઓ અને અમારા ગઠબંધનમાં અન્ય પક્ષો સાથે ચર્ચા કરીશું અને લોકસભા અને વિધાનસભાની ચૂંટણીની બેઠકો અંગે નિર્ણય લઈશું, એમ તેમણે જણાવ્યું હતું. મહાવિકાસ અઘાડી મહારાષ્ટ્રના લોકોને મજબૂત વિકલ્પો પ્રદાન કરવાનો પ્રયાસ કરશે. મહા વિકાસ અઘાડી ભવિષ્યમાં વધુ તાકાત સાથે કામ કરશે, જે મહારાષ્ટ્ર તેમજ કર્ણાટકમાં લોકોના વિશ્વાસને પાત્ર છે, એવો તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. શરદ પવારના નિવાસસ્થાને યોજવામાં આવેલી એમવીએની બેઠકમાં શિવસેના (ઠાકરે જૂથ)ના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે, વિપક્ષી નેતા અજિત પવાર, કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ નાના પટોલે, કોંગ્રેસના વરિષ્ઠ નેતા અશોક ચવ્હાણ, એનસીપીના પ્રદેશ અધ્યક્ષ જયંત પાટીલ, ભૂતપૂર્વ બાળાસાહેબ થોરાત, સાંસદ સંજય રાઉત, સાંસદ સુપ્રિયા સુળે સહિત ઠાકરે જૂથના નેતા હાજર રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -