Homeજય મહારાષ્ટ્રTrimbakeshwar મંદિરના બહાર લગાવવામાં આવ્યું આ નવું બોર્ડ

Trimbakeshwar મંદિરના બહાર લગાવવામાં આવ્યું આ નવું બોર્ડ

હાલમાં જ મહારાષ્ટ્રમાં નાશિકના ત્ર્યંબકેશ્વર મંદિરમાં પ્રવેશને લઈને વિવાદ ચાલી રહ્યો છે અને છેલ્લા ત્રણ દિવસથી અહીં ભારે ધમાલ જોવા મળી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે શનિવારે રાત્રે અન્ય ધર્મના યુવકોએ બળજબરીપૂર્વક મંદિરમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો. આ મામલે SITની રચના કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ પાર્શ્વ ભૂમિ મંદિરના પ્રવેશદ્વાર પર હવે નવું બોર્ડ લગાવવામાં આવ્યું છે અને આ નવા બોર્ડ પર લખવામાં આવ્યું છે કે, “No Entrance Except Hindus’s” એટલે કે આ મંદિરમાં ફક્ત હિન્દુઓને જ પ્રવેશ આપવામાં આવશે. અન્ય ધર્મના લોકોને પ્રવેશ આપવામાં આવતો નથી.

એવું કહેવામાં આવે છે કે જૂનું બોર્ડ અસ્પષ્ટ થઈ ગયું હોવાથી આ નવું બોર્ડ લગાવવામાં આવ્યું છે. હવે આ બોર્ડ મરાઠીની સાથે અંગ્રેજીમાં પણ લગાવવામાં આવ્યું છે. આ દિવાલ પર એક જૂનું બોર્ડ લગાવવામાં આવ્યું હતું. જેમાં સૂચનાઓ મરાઠીની સાથે ગુજરાતી અને અંગ્રેજીમાં લખવામાં આવી હતી.

દરમિયાન ત્ર્યંબકેશ્વરમાં પરસ્પર સૌહાર્દ સાથેનું ધાર્મિક વાતાવરણ જોવા મળી રહ્યું છે. કામમાં એકબીજાને મદદ કરવાની પરંપરા રહી છે. શાંતિ સમિતિના સભ્યોએ કહ્યું છે કે દરેક વ્યક્તિએ શાંતિ જાળવવા માટે શક્ય તમામ પ્રયાસો કરવા જોઈએ. તેમ જ પાંચ વખતનો કાર્યક્રમ છે, આ કાર્યક્રમમાં જ્યારે શોભાયાત્રા મંદિરની સામે આવે છે ત્યારે અગરબત્તીઓ પ્રગટાવવામાં આવે છે. કમિટીએ એ પણ સ્પષ્ટ કર્યું છે કે આ કોઈ નવી પ્રથા કે તફાવત નથી, આપણે બધા દેવી-દેવતાઓમાં માનીએ છીએ. મૂળભૂત રીતે શોભાયાત્રા કરનારાઓ પ્રસાદ વેચે છે. અહીં તમામ સમુદાયો અને ધર્મો વચ્ચે સૌહાર્દપૂર્ણ સંબંધો છે. સમિતિએ એવું પણ જણાવ્યું હતું કે જો તેમને લાગે છે કે તેમના કારણે કંઈક અલગ થયું છે, તો તેઓ માફી માંગે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -