મુંબઈઃ મુંબઈગરા માટે મહત્ત્વના સમાચાર આવી રહ્યા છે, કારણ કે મુંબઈગરા પર પાણીનું સંકટ તોળાઈ રહ્યું છે. 30 અને 31મી જાન્યુઆરી એમ બે દિવસ માટે મુંબઈના અનેક વિસ્તારોમાં પાણીકાપ મૂકવામાં આવશે, જેને કારણે મુંબઈમાં પાણીનો મેગાબ્લોક સુધરાઈ દ્વારા હાથ ધરવામાં આવશે, એવી ચર્ચા પણ થઈ રહી છે. આ બંને દિવસે 24 કલાક માટે પાણીપુરવઠો બંધ રાખવામાં આવશે.
दि.३० जानेवारी रोजी सकाळी १० वाजेपासून ते दि.३१ जानेवारी २०२३ रोजी सकाळी १०पर्यंत मुंबईतील १२विभागात पाणी पुरवठा बंद; तर दोन विभागात २५टक्के पाणी कपात
दि.२९ जानेवारी ते दि.४ फेब्रुवारी २०२३ पर्यंत कमी दाबाने पाणीपुरवठा होणार, त्यामुळे काही भागातील पाणीपुरवठ्यावर प्रतिकूल परिणाम pic.twitter.com/HvgpzDM0Di
— माझी Mumbai, आपली BMC (@mybmc) January 24, 2023
મુંબઈ મહાપાલિકા દ્વારા આ બાબતે માહિતી આપતા જણાવવામાં આવ્યું હતું કે ભાંડુપમાં આવેલા જલશુદ્ધિકરણ કેન્દ્રની પાઈપલાઈન જોડવાનું કામ કરવામાં આવશે. વધારાની 4000 મિલીમીટરની પાઈપલાઈનનું કામ કરવામાં આવશે, જેને કારણે બે દિવસ માટે મુંબઈગરા પર પાણીકાપનું સંકટ તોળાઈ રહ્યું છે.
તમે આ વિસ્તારમાં રહો છો કે….
31મી જાન્યુઆરીથી ચોથી ફેબ્રુઆરી સુધી અનેક વિસ્તારમાં પાણીપુરવઠા ઓછા દબાણથી કરવામાં આવશે. મુંબઈના ચોક્કસ કયા વિસ્તારમાં પાણી પુરવઠો નહીં થાય એ જાણી લઈએ-
પશ્ચિમ ઉપગનરઃ
કે પુર્વ, કે પશ્ચિમ, પી દક્ષિણ, પી ઉત્તર, આર દક્ષિણ, આર મધ્ય, આર ઉત્તર, એચ પૂર્વ, એચ પશ્ચિમ,
પૂર્વ ઉપનગરઃ એસ વિભાગ, એન વિભાગ, એલ વિભાગ