Homeઆમચી મુંબઈમુંબઈમાં પાણી ભરાયા તો ખેર નથી: મુખ્ય પ્રધાનની બીએમસી અધિકારીઓને ચીમકી

મુંબઈમાં પાણી ભરાયા તો ખેર નથી: મુખ્ય પ્રધાનની બીએમસી અધિકારીઓને ચીમકી

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: ચોમાસું નજીક હોઈ મુંબઈ મહાનગરપાલિકા દ્વારા મુંબઈમાં મોટા પ્રમાણમાં નાળાસફાઈના કામ ચાલી રહ્યા છે ત્યારે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ગુરુવારે મુંબઈમાં ચાલી રહેલા નાળાસફાઈના કામનું નિરીક્ષણ કર્યું હતું અને એ દરમિયાન પાલિકા અધિકારીઓને મુંબઈમાં ચોમાસા દરમિયાન પાણી ભરાય નહીં તેનું ધ્યાન રાખવાનો આદેશ તેમણે આપ્યો હતો.

Maharashtra CM Eknath Sinde takes stock of pre-monsoon preparations in Mumbai

બહુ જલદી મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી યોજાવાની શક્યતા છે. ત્યારે ચૂંટણી પહેલાના આ ચોમાસામાં મુંબઈગરાને હાલાકી વેઠવી પડી તો તેની અસર ચૂંટણીમાં પડી શકે છે. તેથી મુખ્ય પ્રધાને ગુરુવારે મુંબઈના જુદા જુદા વિસ્તારોમાં ફરીને નાળાસફાઈનો અહેવાલ લીધો હતો.તેમણે પાલિકાના અધિકારીઓને મુંબઈમાં નીચાણવાળા વિસ્તાર સહિત કોઈ પણ જગ્યાએ પાણી ભરાય નહીં તેના પર ધ્યાન આપવા અને યોગ્ય રીતે નાળાસફાઈ થાય તેના પર ધ્યાન આપવા માટે કહ્યું હતું. તેમ જ રસ્તાને ચોખ્ખા રાખવા તથા તૂટેલી ફૂટપાથના સમારકામ કરવાનો પણ તેમણે નિર્દેશ આપ્યો હતો.

Maharashtra CM Eknath Sinde takes stock of pre-monsoon preparations in Mumbai

આ દરમિયાન ઉદ્ધવ ઠાકરેની શિવસેના (યુબીટી) દ્વારા કૉન્ટ્રેક્ટરોને રસ્તાના કામના ટેન્ડર માટે આપવામાં આવેલા ૬૦૦ કરોડ રૂપિયામાં કામમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાના આરોપને પણ મુખ્ય પ્રધાને ફગાવી દીધો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -