મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભામાં મુખ્ય પ્રધાન અને કેબિનેટને ભ્રષ્ટાચાર વિરોધી સંસ્થા ‘લોકપાલ’ના દાયરામાં લાવનાર લોકાયુક્ત ખરડો ૨૦૨૨ને બુધવારે કેબિનેટમાં પસાર કરવામાં આવ્યું હતું.
ટીચર્સ એન્ટરન્સ ટેસ્ટમાં કથિત કૌભાંડને લઈ વિપક્ષે વોક-આઉટ કર્યું હતું, ત્યાર બાદ આ ખરડાને કોઈ પણ જાતની ચર્ચા-વિચારણા કર્યા વિના બુધવારે પસાર કરવામાં આવ્યું હતું. ગૃહમાં આ ખરડાને સોમવારે રજૂ કરવામાં આવ્યું હતું.
નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આ ખરડાને ઐતિહાસિક ગણાવતાં કહ્યું હતું કે મહારાષ્ટ્ર આ બિલ લાવનાર દેશનું સૌથી પહેલું રાજ્ય હશે.
આ બિલ અનુસાર મુખ્ય પ્રધાનની સામે કોઈ પણ પ્રકારની તપાસ શરૂ કર્યા પૂર્વે વિધાનસભાની મંજૂરી લેવાની રહેશે અને એના પ્રસ્તાવને ગૃહની સામે રજૂ કરવાનો રહેશે. આ પ્રકારના પ્રસ્તાવને મંજૂર કરાવવા માટે વિધાનસભામાં કુલ સભ્યની ઓછામાં ઓછી બે-તૃતીયાંશ સભ્યની સહમતી લેવાની રહેશે.
(પીટીઆઈ)