જૈન મરણ
રાધનપુર તીર્થ જૈન
રાધનપુરતીર્થ નિવાસી હાલ બોરીવલી પ્રતિભા સુરેન્દ્ર મેમાયા (ઉં. વ. ૭૩) તે ૨૯/૪/૨૩ના અવસાન પામેલ છે. તે સુરેન્દ્ર રસિકલાલ મેમાયાના ધર્મપત્ની, બિનલ, સેજલ, તેજલના માતુશ્રી. અપર્ણા,નિખિલ અને જીગરના સાસુ. સ્વ. મુકતીલાલ ભોગીલાલ ઝોટાની દીકરી. સરનામું સી ૪૦૯/૪૧૦ શ્રી રાજ ક્રિશટલ રોયલ કોમ્પ્લેક્સ એક્સર રોડ બોરીવલી વેસ્ટ.
શ્રી ઘોઘારી દશાશ્રીમાળી વણીક જૈન
ગારીયાધાર નિવાસી હાલ ઘાટકોપર નટવરલાલ દીપચંદ શાહના પુત્ર અજયભાઈના પત્ની. અ. સૌ. જયશ્રીબેન (ઉં. વ. ૬૬) તે વિજયભાઈ,જીવનબેન, ભારતીબેન વોરા, ચારૂબેન અંજુંમભાઈ,સુધાબેન સુરેશકુમારના ભાભી. તે પ્રતીક, ગૌરવ, જાનકી, પ્રેરણાના કાકી. તે પીયરપક્ષે પ્રતાપરાય તારાચંદ મહેતાના દીકરી. સ્વ અનંતરાય, સ્વ મહેન્દ્રભાઈ, સ્વ. ચંદ્રકાંતભાઈ, સ્વ કિશોરભાઈ, હર્ષદભાઈ, નરેન્દ્રભાઇ, જયાબેન, સરલાબેનના બેન તા.૨૯/૪/૨૦૨૩ ના શનીવારના અરિહંત શરણ પામેલ છે. પ્રાથના સભા સોમવાર તા.૧-૫-૨૦૨૩ ના બપોરે ૩ થી ૫ પરમકેશવ બાગ નવરોજી લેન ઘાટકોપર મુકામે રાખેલ છે.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
ખાટડી નિવાસી હાલ બોરીવલી નગીનદાસ મગનલાલ શાહના સુપુત્ર હરેશભાઇ (ઉં. વ. ૬૧) તા. ૨૮-૪-૨૩ને શુક્રવારના અવસાન થયેલ છે. તે કિરણબેનના પતિ. હાર્દિકના પિતા. દર્શિતાના સસરા. હીયાના દાદા. તે સ્વ. રમણીકભાઇ, સ્વ. ધીરજલાલભાઇ, સ્વ. ચીમનભાઇ, સ્વ. મહેન્દ્રભાઇ, જયોત્સનાબેન, દક્ષાબેનના ભાઇ. સાસરા પક્ષે જયંતીલાલ ગોપાળજી વારૈયા ત્રાપજવાળાના જમાઇ. મોસાળ પક્ષે બાબુલાલ અમૃતલાલ શાહ બાડીપડવાવાળા, હસમુખભાઇ, શાલીભદ્રભાઇ, રસીલાબેન, કુસુમબેન, પદમાબહેન તથા મનીષાબેનના બનેવી. સાદડી તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
દશા શ્રીમાળી ઝાલાવાડી સ્થાનકવાસી જૈન
બરવાળા ઘેલાશા હાલ મલાડ સ્વ.ધનવંતરાય (કાળુભાઇ) દોશીનાં ધર્મપત્ની ગં. સ્વ. મીનાક્ષીબેન (ઉં. વ. ૭૪) તે વિરલ અને અ. સૌ. રાજુલ (પિંકી) પરાગ વખારીયાના માતુશ્રી. સ્વ. રમણીકભાઇ, સ્વ. વિનુભાઇ, સ્વ. મનુભાઇ, સ્વ. પ્રવીણભાઇ, સ્વ. અનુભાઇ, જશવંતભાઇ, વસંતભાઇ, કંચનબેન, ભોગીલાલ જોંબાલીયા, ગીતાબેન નગીનદાસ શાહ તથા છાયાબેન રવિકાંત ગાંધીના ભાભી. સ્વ. મલીચંદ ફૂલચંદ જોબાલીયાના દીકરી. શનિવાર, તા. ૨૯-૪-૨૩ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.