Homeધર્મતેજસંબંધોની હદ હોય છે સુખના દિવસ સુધી, દોસ્તીની પણ કસોટી થાય છે...

સંબંધોની હદ હોય છે સુખના દિવસ સુધી, દોસ્તીની પણ કસોટી થાય છે એમાં ખરી

સુખ કે સબ સાથી, દુ:ખ મેં ન કોઈ મેરે રામ તેરા નામ સાચા, દૂજા ન કોઈ

આચમન -કબીર સી. લાલાણી

જીવનમાં માણસ અનેક પરિચયો કેળવે છે, સંબંધો બાંધે છે, મિત્રો કરે છે ને એમ જીવન ચાલતું રહે છે.
* જીવનમાં તડકી-છાંયડી આવ્યા કરે છે.
* સુખ-દુ:ખ ને વિટંબણાઓ પણ આવે છે.
* સગાં-સંબંધીઓ અને મિત્રો હોય તો આપત્તિનો એ સમય હળવાશથી પસાર કરી શકાય છે.
– પરંતુ વાસ્તવિકતા કાંઈક જુદી જ છે.
* માણસ સુખી હોય, તેની પાસે સંપત્તિ હોય ત્યારે તેના સુખમાં ભાગ પડાવવા, મહેફિલો માણવા ને મોજમજા કરવા માટે સાથીદાર શોધવા નથી પડતા.
* મધ ઉપર કીડી બેસે તેમ માણસો સુખ-સંપત્તિ પર ઝળુંબતા હોય છે.
– સંબંધોની સાચી પરખ તો થાય છે દુ:ખમાં, આપત્તિમાં.
* માણસ જ્યારે ચારેકોર આફતથી ઘેરાઈ જાય છે ત્યારે તેને સાથ દેવા, મદદ કરવા કોણ આવે છે તેના પરથી સાચાં સગાં કે સંબંધીનો પરિચય થાય છે.
આ લખનારના અભ્યાસથી મોટે ભાગે લોકોનો અનુભવ એવો જાણવા મળ્યો છે, કે સુખના સમય દરમિયાન જે સંબંધો હોય છે તે દુ:ખ આવતા જ મીણની જેમ ઓગળી જાય છે ને રોજ હળતા-મળતા ને મજા કરતા લોકો આવે ટાણે ખબરેય ન પડે તેમ સરકી જાય છે.
* આંખથી આંખ પણ મેળવતા નથી.
* માણસ એકલો અટૂલો પડી જાય છે.
* સંબંધોની આ અસલિયત છે.
– નળ – દમયંતીના જીવનની કઠણાઈ વર્ણવતા પ્રેમાનંદે કહેલું, ‘વાંકી રે વેળા રે વહાલું કો’નથી, સૌ સુખ સમે સાથી થાય.’
– કહેવાયું છે કે –
શેરી મિત્રો સો મળે, તાળી મિત્ર અનેક જેના પર શિર વારીએ એ લાખોમાં એક!
– લોકોએ બતાવેલું આ સત્ય થોડાક અપવાદ બાદ કરતાં સાવ સાચું છે.
* પોતાના દુ:ખ માણસે પોતે જ સહી લેવાના હોય છે.
* કોઈ તેમાં ભાગીદાર થઈ શકતું નથી.
– સંજોગો જવાબદાર હોઈ શકે, પણ માણસ મિત્ર તરીકે દુ:ખ વેળાએ ઊણો ઊતરે છે એ વાતનો ઈનકાર કરી શકાય તેમ નથી.
વહાલા વાચક બિરાદરો! લેખની શરૂઆતમાં જ લખેલી પહેલી જ પંક્તિમાં કવિએ સંબંધોની મર્યાદા બતાવી આપી છે કે સંબંધોની હદ સુખના દિવસ
સુધીની જ હોય છે. સુખના દિવસો પૂરા થયા કે સંબંધો એક પછી એક સરકવા
માંડે છે.
સનાતન સત્ય
સામાન્ય પરિચિતોની વાત જવા દઈએ, પણ જેની સાથે દિલના – હૃદયના સંબંધો બંધાયા હોય તેવા મિત્રોનું શું?
– કવિ કહે છે, ‘દોસ્તોય આંખ ભીંજવીને ચાલતા થયા.’
* નિકટના મિત્રો પણ
* સમભાવ, સહાનુભૂતિ (શાબ્દિક જ તો) બતાવીને ચાલતા થઈ જાય છે.
* અફસોસ વ્યક્ત કરે છે.
* શોક બતાવે છે,
* દયા ખાય છે, પણ
* પડખે ઊભા રહેવાની વાત કોઈ કરતું નથી.
ધર્મસંદેશ:
– આપણા ધર્મગ્રંથોમાં,
-સાધુ-સંતો-શાહોના ઉપદેશમાં
– સંસારને અસાર કહ્યો છે તે આ બધાં કારણોથી જ તો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -