Homeસ્પોર્ટસIPL 2023IPL 2023: ધોનીએ જેના સ્ટ્રાઈક રેટ પર સવાલ ઉઠાવ્યા હતા, CSKએ એને...

IPL 2023: ધોનીએ જેના સ્ટ્રાઈક રેટ પર સવાલ ઉઠાવ્યા હતા, CSKએ એને જ ખરીદ્યો

ભારતના અનુભવી બેટ્સમેન અજિંક્ય રહાણે IPL 2023માં નવી ટીમ સાથે રમતા જોવા મળશે. હરાજી પહેલા એવું માનવામાં આવતું હતું કે સતત ઘટી રહેલા ફોર્મને કારણે તેને કોઈ ખરીદનાર નહીં મળે, પરંતુ તેને આઈપીએલમાં ખરીદનાર મળ્યો ચેન્નાઈ સુપર કિંગ્સે IPL 2023ની મિની ઓક્શનમાં અજિંક્ય રહાણેને ખરીદ્યો હતો. આઇપીએલ લીગની બીજી સૌથી સફળ ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સ છે, જેની કમાન એમએસ ધોનીના હાથમાં છે.
થોડા વર્ષો પહેલા એમએસ ધોનીએ રહાણેની સ્ટ્રાઈક પર સવાલ ઉઠાવ્યા હતા. 2015માં રહાણેને તક નહોતી મળી. ધોનીએ તેના સ્ટ્રાઈક રેટ પર સવાલો ઉઠાવ્યા હતા અને તેને રોટેટ કર્યો હતો, પરંતુ હવે ધોનીની ટીમે રહાણેને ખરીદ્યો છે. CSKએ રહાણેને 50 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો.
2015માં રહાણેને તક ન આપવા બદલ ધોનીની ઘણી ટીકા થઈ હતી. બાંગ્લાદેશ સામેની વનડે શ્રેણીની છેલ્લી બે મેચમાં તેને તક આપવામાં આવી ન હતી. ધોનીએ કહ્યું કે રહાણે ધીમી પીચો પર સ્ટ્રાઈક ફેરવવામાં સક્ષમ નથી. તેમને તકલીફ છે. ધોનીએ કહ્યું કે ધીમી પીચો પર, જ્યાં રહાણે નંબર 4 અથવા 5 પર બેટિંગ કરે છે, તેને ઇનિંગ્સની શરૂઆતમાં સ્ટ્રાઇક ફેરવવાનું મુશ્કેલ લાગે છે. ધોનીએ રહાણેને રાહ જોવા કહ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -