Homeટોપ ન્યૂઝજાપાની વડા પ્રધાન પરના હુમલાની મોદીએ કરી નિંદા

જાપાની વડા પ્રધાન પરના હુમલાની મોદીએ કરી નિંદા

ઘટનાને બતાવી દુર્ભાગ્યપૂર્ણ

જાપાનમાં આજે પીએમ કિશિદાની રેલીમાં ધડાકો થયો હતો. જાપાનના વાકાયામામાં વડા પ્રધાન ફ્યુમિયો કિશિદાના ભાષણ દરમિયાન ધુમાડો થયો હતો. વડાપ્રધાન કિશિદાને ઘટના સ્થળેથી સુરક્ષિતપણે બહાર કાઢવામાં આવ્યા હતા. આ કેસમાં એક શંકાસ્પદની ધરપકડ કરવામાં આવી છે. આ ઘટના અંગે પીએમ નરેન્દ્ર મોદીએ પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. પીએમ મોદીએ જાપાનના પીએમ પરના આ હુમલા વિશે જણાવ્યું હતું કે, “મને જાપાનના વાકાયામામાં આ હિંસક ઘટના વિશે માહિતી મળી, જ્યાં મારા મિત્ર પીએમ કિશિદા હાજર હતા. તેઓ સુરક્ષિત છે એ જાણીને મને ખૂબ જ રાહતનો અનુભવ થયો. તેઓ સારા સ્વાસ્થ્યમાં છે અને હું તેમના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરું છું. ભારત હિંસાની તમામ ઘટનાઓની નિંદા કરે છે.”

ધ જાપાન ટાઈમ્સે આપેલા અહેવાલ મુજબ, પીએમ કિશિદાએ તેમનું ભાષણ શરૂ કર્યું તે પહેલા જ આ વિસ્ફોટ થયો હતો. બોમ્બ ફેંકાયા બાદ તે જગ્યાએ ધુમાડો જોવા મળ્યો હતો. આ પછી, ત્યાં હાજર સુરક્ષા દળોએ તાત્કાલિક કાર્યવાહી કરી હતી અને એક શંકાસ્પદની ધરપકડ કરી હતી. આ શંકાસ્પદ વ્યક્તિએ શા માટે કિશિદાની રેલીમાં ધડાકો કર્યો હતો, એ અંગે હાલમાં જાણવા મળ્યું નથી, પરંતુ જાપાની પોલીસ સઘન તપાસ કરી રહી છે. આ અગાઉ પણ જાપાનના ભૂતપૂર્વ વડા પ્રધાન શિજો આબેને તેમની જાહેર સભામાં ભાષણ દરમિયાન ગોળીઓથી ઉડાવી દેવામાં આવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -