Homeપુરુષઆધુનિક જીવનશૈલીમાં હૃદયનું ખાસ ધ્યાન કેવી રીતે રાખશો?

આધુનિક જીવનશૈલીમાં હૃદયનું ખાસ ધ્યાન કેવી રીતે રાખશો?

હેલ્થ વેલ્થ-કલ્પના શાહ

શરીરની સ્વસ્થ હોવાનું એક લક્ષણ આપણું હૃદય સ્વસ્થ હોવું છે. અને સ્વસ્થ હૃદય માટે સ્વસ્થ જીવનશૈલી જરૂરી છે. તાજેતરના ભૂતકાળમાં, સક્રિય જીવનશૈલી જીવતા ૪૦-૪૫ વર્ષની વયજૂથની ઘણી હસ્તીઓના અવસાનના સમાચારોએ આપણને વિચારવા મજબૂર કર્યા છે કે યુવાનોમાં હૃદયરોગના કેસ કેમ વધી
રહ્યા છે.
તબીબોનું કહેવું છે કે તેમની પાસે આવતા હૃદયરોગથી પીડિત દર્દીઓમાં પહેલાની સરખામણીમાં યુવાનોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. શું બદલાતી જીવનશૈલી અને આહારની અનિયમિતતાએ નાજુક હૃદયને મોટા જોખમમાં મૂક્યું છે? છેવટે, નાની ઉંમરે હૃદય બીમાર થવાનું કારણ શું છે? હૃદયરોગ સંબંધિત કેટલાક સમાન પ્રશ્નોના જવાબ આપે છે, ડૉ. પ્રવીણ ચંદ્રા, અધ્યક્ષ, ઇન્ટરવેન્શનલ અને સ્ટ્રક્ચરલ હાર્ટ કાર્ડિયોલોજી, ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજી, હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ, મેદાંતા હૉસ્પિટલ, ગુરુગ્રામ.
ડૉ. સંજીવ ગેરા, ડાયરેક્ટર અને યુનિટ હેડ, ફોર્ટિસ હૉસ્પિટલ, નોઇડા ડૉ. સંજય મિત્તલ, ડાયરેક્ટર, ક્લિનિકલ અને પ્રિવેન્ટિવ કાર્ડિયોલોજી, હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ, મેદાંતા હૉસ્પિટલ, ગુરુગ્રામ, ડૉ. ઋષિ ગુપ્તા, અધ્યક્ષ કાર્ડિયાક સાયન્સ, એકોર્ડ સુપર સ્પેશિયાલિટી હૉસ્પિટલ, ફરીદાબાદ અને ડૉ. આનંદ કુમાર પાંડે, સિનિયર ક્ધસલ્ટન્ટ કાર્ડિયોલોજી, ધર્મશીલા નારાયણ સુપર સ્પેશિયાલિટી હૉસ્પિટલ, દિલ્હી.
સ્વસ્થ જીવનશૈલી ધરાવતા લોકો પણ હાર્ટ પેશન્ટ બની રહ્યા છે. આવું કેમ થાય છે?
જો કોઈ વ્યક્તિ ફિટ રહે અને નિયમિત રીતે કસરત કરે તો પણ આશંકા રહે છે કે તેની રક્તવાહિનીઓ યોગ્ય રીતે પોતાનું કામ કરી શકતી હો.
રક્તવાહિનીઓના નબળા પડવાના ઘણા કારણો હોઈ શકે છે, પરંતુ દારૂ અને સિગારેટનું ધૂમ્રપાન, તણાવ અને ઊંઘની ખોટી પેટર્ન વ્યક્તિ શારીરિક રીતે ફિટ હોવા છતાં હૃદયની સમસ્યાઓનું જોખમ વ
ધારે છે.
યુવાનોમાં વધતા હૃદયરોગનું કારણ
શું છે?
આજકાલ, ૩૦ થી ૪૦ વર્ષની વયના હૃદયરોગના ઘણા યુવાન દર્દીઓ હોય છે. આનું મુખ્ય કારણ એ છે કે આ વયજૂથમાં ઘણા યુવાનો અને એક્ઝિક્યુટિવ્સ બહુ તણાવનો સામનો કરે છે, તેઓ ઘણું હાંસલ કરવા માંગે છે, સ્પર્ધામાં આગળ રહેવા માંગે છે. તણાવપૂર્ણ જીવન હૃદયના કોષોને નુકસાન પહોંચાડતા હોર્મોન્સના સ્ત્રાવને વધારે છે અને હૃદયરોગનું જોખમ વધારે છે.
શું તણાવથી હાર્ટ એટેકનું જોખમ
વધે છે?
સતત તણાવમાં રહેતા યુવાનોમાં હૃદયની બીમારીઓ અનેકગણી વધી ગઈ છે. તણાવથી નાડીનો દર વધે છે, ધબકારા વધે છે અને શરીરમાં ઘણા હોર્મોનલ ફેરફારો થાય છે, જે હૃદયના કોષોને નુકસાન
પહોંચાડે છે.
કેટલાક કિસ્સાઓમાં, જ્યારે હૃદયની રક્તવાહિનીઓમાં અવરોધો હોય છે, ત્યારે આ અવરોધો તણાવને કારણે વધી શકે છે અને હૃદયરોગનો હુમલો પણ થઈ શકે છે.
હૃદય રોગ માટે નિવારક પગલાં શું છે? હૃદયરોગ સાથે સંકળાયેલા જોખમો શું છે?
નિવારણનો પ્રથમ ઉપાય ૪૦ વર્ષની ઉંમર પછી સ્ક્રીનિંગ છે, વાર્ષિક ધોરણે હૃદયની સંપૂર્ણ તપાસ અને વિગતવાર સ્ક્રીનિંગ પરીક્ષણો, જેમાં બ્લડ સુગર, કોલેસ્ટ્રોલ, લિપિડ પ્રોફાઇલ, રક્ત પરીક્ષણો અને તણાવ પરીક્ષણોનો સમાવેશ થાય છે. હૃદયરોગ સાથે સંકળાયેલા જોખમોમાં ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર, હાઈ કોલેસ્ટ્રોલ વગેરેનો સમાવેશ થાય છે. તેમની યોગ્ય સમયે તપાસ અને સારવાર થવી જોઈએ. સૌથી મહત્ત્વપૂર્ણ છે તંદુરસ્ત આહાર અને તંદુરસ્ત જીવનશૈલી.
કટોકટીના કિસ્સામાં શું કરવું જોઈએ?
કટોકટીની સ્થિતિમાં, જો કોઈ વ્યક્તિ છાતીમાં અસ્વસ્થતા અનુભવે છે અને હાર્ટએટેકની આશંકા હોય, તો તેણે ઉતાવળમાં કંઈ કરવું જોઈએ નહીં, દોડવું જોઈએ નહીં. દર્દીને એવી જગ્યાએ લઈ જવા જોઈએ જ્યાં તે સૂઈ શકે અને આરામ કરી શકે, જેથી હૃદયના ધબકારા કુદરતી રીતે સામાન્ય થઈ શકે. ચિંતા પરિસ્થિતિને વધુ ખરાબ કરી શકે છે.
સૌ પ્રથમ, દર્દીને શાંતિ અને આરામ આપવો જોઈએ, તેને એસ્પિરિન આપવી જોઈએ, તેનું બ્લડ પ્રેશર તપાસવું જોઈએ અને દર્દીને આરામથી હૉસ્પિટલમાં લઈ જવો જોઈએ. આ પછી, દર્દીને હાર્ટએટેક આવ્યો છે કે નહીં તે જોવા માટે ઊઈૠ કરવું જોઈએ. જો દર્દીને હાર્ટએટેક આવ્યો હોય, તો તેની સારવાર નિષ્ણાત કાર્ડિયોલોજિસ્ટ દ્વારા કરાવવી જોઈએ.
હૃદયને સ્વસ્થ રાખવાની કઈ રીતો છે?
૧. ધૂમ્રપાન કરશો નહીં કે તમાકુનો ઉપયોગ કરશો નહીં. એવું જોવામાં આવ્યું છે કે ધૂમ્રપાન છોડ્યા પછી એક દિવસમાં હૃદયરોગનું જોખમ ઘટી જાય છે.
૨. શરીરને ચુસ્ત રાખો. શારીરિક કસરતથી વજન નિયંત્રણમાં રહે છે. તે અન્ય સમસ્યાઓ, જેમ કે હાઈ બ્લડ પ્રેશર, હાઈ કોલેસ્ટ્રોલ અને ટાઈપ ૨ ડાયાબિટીસને ઘટાડવામાં પણ મદદ કરે છે, જે હૃદય પર દબાણ લાવી શકે છે. દરરોજ ૩૦ થી ૬૦ મિનિટની શારીરિક પ્રવૃત્તિ હૃદયને સ્વસ્થ રાખે છે.
૩. તંદુરસ્ત આહાર લો, જેમાં શાકભાજી અને ફળો, કઠોળ, ઓછી ચરબીવાળા અને ચરબી રહિત ડેરી ખોરાક, આખા અનાજ અને ઓલિવ તેલ જેવી તંદુરસ્ત ચરબીનો સમાવેશ થાય છે.
૪. વજન નિયંત્રણમાં રાખો. વધુ પડતું વજન હૃદયરોગ તરફ દોરી જતી સમસ્યાઓમાં વધારી શકે છે.
૫. પૂરતી ઊંઘ લો. તમારે રાત્રે ૭ થી ૮ કલાકની ઊંઘ લેવી જોઈએ. ઊંઘનો
નિત્યક્રમ બનાવો અને દરરોજ એક જ સમયે સૂઈને અને જાગીને આ નિત્યક્રમનું
પાલન કરો.
૬. તણાવનું સંચાલન કરો, વિકલ્પો શોધો. શારીરિક પ્રવૃત્તિ, શરીરને આરામ આપતી કસરતો અથવા ધ્યાન તણાવમાં મદદ કરી શકે છે અને એકંદર આરોગ્યમાં સુધારો કરી શકે છે.
૭. ડૉ. આનંદ કુમાર પાંડે કહે છે કે જો બાયપાસ સર્જરી થઈ હોય તો વધારે કસરત ન કરો. યોગ અને હળવી કસરત દ્વારા શરીરને સ્વસ્થ રાખવાનો પ્રયાસ કરો. સવારે ઊઠો, નજીકના બગીચાઓમાં ફરવા જાઓ, યોગ્ય કસરત માટે પ્રશિક્ષણ લો, તણાવ ઓછો કરવાનો પ્રયાસ કરો.
૮. સ્વાસ્થ્ય અને હૃદયની તપાસ નિયમિતપણે કરાવો. નિયમિત પરીક્ષણથી સમસ્યાને ઓળખવામાં અને સમયસર સારવાર કરાવવામાં મદદ કરે છે.
જો તમે કોવિડ-૧૯માંથી સાજા થઈ ગયા હોવ તો…
સ્વસ્થ હૃદય માટે ધ્યાન આપવા બાબત ડૉ. સંજીવ ગેરા કહે છે, “સ્વસ્થ હૃદય માટે જરૂરી છે કે તમે તમારી જીવનશૈલી કાળજીપૂર્વક પસંદ કરો અને એવી આદતોથી છુટકારો મેળવો જે તંદુરસ્ત નથી. શરીરમાં અસામાન્ય અથવા વધારે રક્ત લિપિડ્સ (ચરબી) કાર્ડિયોવેસ્ક્યુલર રોગોનું કારણ છે, તેથી સંતૃપ્ત ચરબીનું સેવન ઓછું કરવું જોઈએ.
એ જ રીતે, હાઈ બ્લડ પ્રેશરને સાયલન્ટ કિલર કહેવામાં આવે છે કારણ કે ઘણા લોકોમાં લાંબા સમય સુધી લક્ષણો દેખાતા નથી, પરંતુ તે હાર્ટ એટેક અથવા અચાનક કાર્ડિયાક અરેસ્ટ તરફ દોરી શકે છે. ડાયાબિટીસ અને સ્થૂળતા પર નિયંત્રણ રાખવું જરૂરી છે.
તંદુરસ્ત આહાર અને નિયમિત કસરતની સાથે, યોગ તમારા હૃદયના સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે અને તે અન્ય શારીરિક રીતે સખત પ્રવૃત્તિઓ કરતાં તમારા હૃદય પર ઓછો તાણ લાવે છે. ડૉ. ગેરા કહે છે કે જે લોકો કોવિડ પોઝિટિવ બન્યા છે તેઓએ નિયમિત આરોગ્ય તપાસ કરાવવી જોઈએ, જેથી તેમના હૃદય પર કોવિડની કોઈપણ પ્રકારની અસર જાણી શકાય. એવું જોવા મળ્યું હતું કે કોવિડ રોગચાળા દરમિયાન હૃદયના દર્દીઓ વધુ પ્રભાવિત થયા હતા. તેમની હૃદયની નળીઓને વધુ નુકસાન થયું છે કે કેમ તે તપાસવા માટે તેમના
માટે નિયમિત આરોગ્ય તપાસ કરાવવી મહત્ત્વપૂર્ણ છે. ઉ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -