Homeટોપ ન્યૂઝHappy Birthday કવિરાજ: મળો કરોડપતિ કવિ ડો. કુમાર વિશ્વાસને અને જાણો તેમની...

Happy Birthday કવિરાજ: મળો કરોડપતિ કવિ ડો. કુમાર વિશ્વાસને અને જાણો તેમની અજબ પ્રેમ કી ગજબ કહાનીને

કોઈ દિવાના કહેતા હૈ, કોઈ પાગલ સમજતા હૈ… આ કવિતાથી કરોડો યુવાનોના દિલ પર રાજ કરનારા રોકસ્ટાર કવિ ડૉ. કુમાર વિશ્વાસ (ડૉ. કુમાર વિશ્વાસ) આજે દેશના સૌથી મોંઘા કવિઓમાંના એક છે અને આજના આપણા બર્થ ડે બોય પણ. કવિરાજ ડો. કુમાર વિશ્વાસ માત્ર કવિતાઓ માટે જ નહીં પરંતુ રાજકારણ પરની તેમની બિન્ધાસ્ત ટિપ્પણીઓને કારણે પણ ઘણી વખત ચર્ચાનું કારણ બને છે. આજે તેમના જન્મ દિવસે અહીં અમે તમને તેમના રાજકારણ કે કવિતા વિશે નહીં પરંતુ તેમની પર્સનલ લાઇફ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. તેમની લવ સ્ટોરી વિશે કદાચ ખુબ ઓછા લોકો જાણતા હશે.
10 ફેબ્રુઆરી, 1970 ના રોજ ઉત્તરપ્રદેશના હાપુર જિલ્લાના પિલખુઆ ગામમાં જન્મેલા કુમાર વિશ્વાસ યુવાનોમાં સારી લોકપ્રિયતા ધરાવે છે. તેમના પિતા ડૉ. ચંદ્રપાલ શર્મા આરએસએસ ડિગ્રી કોલેજ પીલખુઆના પ્રવક્તા હતા જયારે તેમની માતા રમા શર્મા એક ગૃહિણી છે. કુમાર ચાર ભાઈઓ અને એક બહેનમાં સૌથી નાના છે. બારમું પાસ કર્યા પછી, તેના પિતા તેમને એન્જિનિયર બનાવવા માંગતા હતા અને કહ્યાગરા પુત્ની જેમ કુમારે એન્જિનિયરિંગમાં એડમિશન પણ લઈ લીધું પરંતુ તેમનું મન ટેકનિકલ અભ્યાસમાં લાગતું નહોતું.
એન્જિનિયરિંગ છોડીને હિન્દીનો અભ્યાસ કર્યા પછી તેમણે 1994માં રાજસ્થાનથી હિન્દી પ્રવક્તા તરીકે નોકરી શરૂ કરી, જ્યાં કુમાર પ્રથમ વખત મંજુને મળ્યા, જે તે જ કોલેજમાં પ્રવક્તા હતા. કયારે આ મિત્રતા કે મિટીંગ પ્રેમમાં પરિણમી તેની બંનેને ખબર ન પડી. વિશ્વાસે મંજુ માટે કવિતાઓ લખવાનું શરૂ કર્યું. આ કવિતાઓ શ્રૃંગાર રસ સાથે સંકળાયેલી હતી. આ કવિતાઓએ મંજુને વધુ પ્રભાવિત કર્યા.
ધીરે ધીરે, બંનેનો પ્રેમ પરવાન ચઢવા લાગ્યો.
જ્યારે મંજુ અજમેરમાં ઘરે હતી, ત્યારે કુમાર વિશ્વાસ તેને મળવા જતા હતા. ધીરે ધીરે, બંનેનો પ્રેમ વધ્યો અને પછી આ બાબત લગ્ન સુધી પહોંચી.
કુમાર વિશ્વાસ જાણતા હતા કે તેમના ઘરમાં જાતિ અલગ હોવાના કારણે વિરોધ થશે, તેથી બંનેએ પહેલા કોર્ટમાં અને પછી કેટલાક મિત્રોની મદદથી મંદિરમાં લગ્ન કર્યા. લગ્ન પછી, બંનેએ તેમના પરિવારોને જાણ કરી, બંને પરિવારોમાં આ લગ્નનો વિરોધ થયો. એવું કહેવામાં આવે છે કે લગ્ન પછી, બંને ભાડાના મકાનમાં રહેવા લાગ્યા
કુમાર વિશ્વાસના પિતા તેમના નિર્ણયથી એટલા ગુસ્સે થયા કે તેમને ઘરથી બહાર કાઢી નાખ્યા. લગભગ બે વર્ષ સુધી, કુમારના મોટા ભાઈ અને બહેન પિતાને સમજાવતા રહ્યા, ત્યારબાદ કુમાર વિશ્વાસની મોટી પુત્રીના જન્મ પહેલાં તેમને અને તેમની પત્નીને ઘરમાં પ્રવેશ મળ્યો.
કુમારે કવિતાની સાથે સાથે જ રાજકારણમાં પણ પોતાનો પગ જમાવવાનો પ્રયાસ કર્યો હતો. તેઓ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કારોબારી સભ્ય પણ હતા. વિશ્વાસ અમેઠીથી રાહુલ ગાંધી અને સ્મૃતિ ઈરાની સામે લોકસભાની ચૂંટણી પણ લડી ચૂક્યા છે. રાજકીય રીતે સક્રિય કવિ કુમાર વિશ્વાસ કહે છે, રાજકારણ 10 વર્ષ 5 વર્ષ સુધી કરી શકાય પરંતુ કવિતા હજારો વર્ષ સુધી કરી શકાય છે અને તે જીવંત પણ રહે છે.
કુમાર વિશ્વાસને કુહુ અને અગ્રતા વિશ્વાસ નામની બે દીકરીઓ છે. કુમાર વિશ્વાસ અને મંજુનો પ્રેમ આજે પણ એટલો જ તરોતાજા છે. હાલમાં કુમાર વિશ્વાસ દેશના સૌથી જાણીતા અને સૌથી પ્રતિષ્ઠિત અને ખર્ચાળ કવિઓમાંના એક છે. વિશ્વાસ 1 2 કલાક કવિતા પઠન કરવા માટે લાખો રૂપિયાની ફી વસુલે છે અને આજની તારીખમાં તેઓ કરોડો રૂપિયાની સંપતિના માલિક છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -