Homeઆમચી મુંબઈગિરગામ વિસ્તારના ગોડાઉનમાં આગ લાગતા 14 વાહનો બળીને રાખ

ગિરગામ વિસ્તારના ગોડાઉનમાં આગ લાગતા 14 વાહનો બળીને રાખ

દક્ષિણ મુંબઈમાં ગુરુવારે મધરાત પછી એક વેરહાઉસમાં આગ લાગી હતી. આગને કારણે તેની પાસે પાર્ક કરેલા 14 વાહનો બળીને રાખ થઈ ગયા હતા, એવી એક અધિકારીએ માહિતી આપી હતી. અધિકારીએ જણાવ્યું કે ગોડાઉનમાં વાંસ અને અન્ય સામગ્રી રાખવામાં આવી હતી. અકસ્માતમાં કોઈ જાનહાનિના સમાચાર નથી.
ગિરગામ વિસ્તારમાં ઉરણકરવાડી સ્થિત ગોડાઉનમાં આગ ફાટી નીકળી હતી, જે તેના ગ્રાઉન્ડ ફ્લોર પર રાખવામાં આવેલી રેઝિન, ફોમ, વાંસ અને અન્ય વસ્તુઓમાં ફેલાઈ ગઈ હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે આગમાં વેરહાઉસ ઓફિસ પાસે પાર્ક કરેલા છ ફોર વ્હીલર અને આઠ ટુ-વ્હીલર બળીને ખાખ થઈ ગયા છે. આગના કારણે ગોડાઉનના ગ્રાઉન્ડ ફ્લોરનું આખું માળખું ધરાશાયી થઈ ગયું હતું.
ઘટનાસ્થળે પહોંચેલા ફાયર બ્રિગેડ અધિકારીનું કહેવું છે કે ઘટનાની માહિતી મળતાં જ ફાયર બ્રિગેડના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને લગભગ 3 વાગ્યે આગ પર કાબૂ મેળવી લીધો હતો. આગનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી.

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -