Homeઆમચી મુંબઈનિર્દોષનો શું વાંક? પત્નીથી અલગ થયો તો 11 વર્ષના પુત્રને રહેંસી નાખ્યો

નિર્દોષનો શું વાંક? પત્નીથી અલગ થયો તો 11 વર્ષના પુત્રને રહેંસી નાખ્યો

મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં એક વ્યક્તિએ તેના 11 વર્ષના પુત્રનું ગળું કાપીને હત્યા કરી નાખી હોવાનો મામલો જાણવા મળ્યો છે. જ્યારે આરોપી પુત્રના મૃતદેહનો નિકાલ કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે પોલીસની પેટ્રોલિંગ ટીમે તેની ધરપકડ કરી હતી. પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે આરોપી પિતાની ઉંમર 40 વર્ષ છે. તે ચાની દુકાન પાસે લાશ ફેંકવા આવ્યો હતો. ત્યારે જ પોલીસની પેટ્રોલિંગ ટીમે તેને જોયો હતો. હાલ આરોપી પિતાની પૂછપરછ કરવામાં આવી રહી છે. હત્યાનો આ સનસનીખેજ મામલો અંબરનાથ વિસ્તારના શાસ્ત્રીનગર વિસ્તારનો છે. ઉલ્હાસનગર ડિવિઝન ફોરના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ સુધાકર પઠારેએ જણાવ્યું હતું કે આરોપીએ તેના પુત્રનું ગળું કાપીને હત્યા કરી હતી. બાદમાં, જ્યારે તે અંબરનાથમાં ચાની દુકાન પાસે પુત્રના મૃતદેહને ફેંકી રહ્યો હતો, ત્યારે પોલીસની પેટ્રોલિંગ ટીમે તેને પકડી લીધો હતો. તેમણે જણાવ્યું હતું કે આરોપી તેની પત્નીથી અલગ રહેતો હતો. તેને વધુ બે બાળકો છે. જાણવા મળ્યું છે કે આરોપી પત્નીથી અલગ થયા બાદ ગુસ્સામાં હતો. તે તેની પત્ની સામે બદલો લેવાની તૈયારીમાં હતો. આ કારણોસર તેણે પુત્રની હત્યા કરી હતી. આરોપી ઈચ્છતો હતો કે પત્ની તેને છોડીને ન જાય, પરંતુ તે ત્રણેય બાળકો સાથે ઘર છોડીને ચાલી ગઈ હતી. હાલમાં પુત્રની હત્યા બાદ માતાના રડી રડીને બુરા હાલ છે. આરોપીની પત્નીએ પોલીસને સુરક્ષાની વિનંતી કરી છે. પત્નીનું કહેવું છે કે આરોપી તેના અન્ય બે બાળકોને પણ નુકસાન પહોંચાડી શકે છે. ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (ડીસીપી) સુધાકર પઠારેએ જણાવ્યું હતું કે હત્યા પાછળનો હેતુ હજુ સુધી જાણી શકાયો નથી. તેમણે કહ્યું હતું કે આરોપીઓ સામે ભારતીય દંડ સંહિતા (આઈપીસી)ની કલમ 302 (હત્યા) અને 201 (પુરાવાને નષ્ટ કરવા) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -