Homeટોપ ન્યૂઝરામ ભગવાન ફક્ત હિંદુઓના જ નહીં બધાના છે, ફારુક અબ્દુલ્લાએ ભાજપ પર...

રામ ભગવાન ફક્ત હિંદુઓના જ નહીં બધાના છે, ફારુક અબ્દુલ્લાએ ભાજપ પર કર્યા પ્રહાર

જમ્મુ કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ફારૂક અબ્દુલ્લાએ એક કાર્યક્રમ દરમિયાન ભાજપ પર શાબ્દિક પ્રહારો કરતાં જણાવ્યું હતું કે, તેઓ ચૂંટણી દરમિયાન ‘હિંદુ ખતરામાં છે’ આ વાક્યનો ઉપયોગ કરશે, પરંતુ હું આપ સર્વેને અનુરોધ કરું છું કે તમે તેના શિકાર થતા નહીં. ભગવાન રામ બધાના છે, ફક્ત હિંદુ ધર્મના લોકોના નહીં. કેટલાક નેતાઓ ધાર્મિક વિભાજન પેદા કરીને પાર્ટીને નબળી કરવાની કોશિશ કરવાની કોશિશ કરી રહ્યા છે.
અબ્દુલ્લાએ જમ્મુ કાશ્મીરના અખનૂર જિલ્લાની જનસભાને સંબોધતાં જણાવ્યું હતું કે, કોઈ ધર્મ ખરાબ નથી, આ માણસ જ ભ્રષ્ટ છે. અમારા પર અવારનવાર આરોપ લાગી રહ્યા હોવા છતાં ક્યારેય પાકિસ્તાન સાથે મિત્રતા નથી કરી. નેશનલ કોન્ફ્રન્સે પાકિસ્તાનનો પક્ષ ક્યારેય લીધો નથી. મોહમ્મદ અલી જિણા મારા પિતાને મળવા આવ્યા હતાં, પરંતુ અમે તેમની સાથે મિત્રતા કરવાનો ઈનકાર કર્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે ફારુક અબ્દુલ્લાએ ગયા શુક્રવારે નેશનલ કોન્ફ્રન્સના અધ્યક્ષપદથી રાજીનામુ આપવાની જાહેરાત કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -