Homeદેશ વિદેશજાની દુશ્મની.. 14 મહિના, 5મી વખત... સીએમ કેસીઆર પીએમ મોદીને આવકારવા એરપોર્ટ...

જાની દુશ્મની.. 14 મહિના, 5મી વખત… સીએમ કેસીઆર પીએમ મોદીને આવકારવા એરપોર્ટ પર ન આવ્યા, કેમ?

વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે શનિવારે તેલંગાણાના પ્રવાસે છે. આ દરમિયાન તેમણે સિકંદરાબાદ-તિરુપતિ વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી બતાવી હતી. આ સાથે પીએમ મોદી અનેક પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ કરશે. અહેવાલ છે કે આ વખતે પણ પીએમ મોદીના આગમન પર તેલંગાણાના મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવે તેમનું સ્વાગત કર્યું ન હતું. તેમના સ્થાને, રાજ્ય સરકારે પશુપાલન મંત્રી ટી. શ્રીનિવાસ યાદવને પીએમને મળવા માટે મોકલી આપ્યા હતા. આ પહેલા પણ જ્યારે પીએમ તેલંગાણા આવ્યા હતા ત્યારે કેસીઆર તેમને રિસીવ કરવા આવ્યા ન હતા.

છેલ્લા 14 મહિનામાં આ પાંચમી વખત છે જ્યારે મુખ્ય પ્રધાને તેલંગણાની મુલાકાત દરમિયાન વડા પ્રધાન મોદીને મળ્યા નથી. સિકંદરાબાદ રેલ્વે સ્ટેશનથી સિકંદરાબાદ-તિરુપતિ વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી બતાવ્યા પછી, વડાપ્રધાન પરેડ ગ્રાઉન્ડ ખાતે જાહેર સભામાં હાજરી આપશે અને રૂ. 11,300 કરોડથી વધુની કિંમતના અનેક પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે. પીએમ મોદીની મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે તેલંગાણા પોલીસે ધોરણ 10ના પ્રશ્નપત્ર લીક કેસના સંબંધમાં રાજ્ય બીજેપી અધ્યક્ષ અને સાંસદ બંદી સંજય કુમારની ધરપકડ કરી છે.

મંગળવારે 4 એપ્રિલની મોડી રાત્રે સંજયની નાટકીય ધરપકડ બાદ તેને 14 દિવસ માટે ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો. જોકે આ કેસમાં તેને જામીન મળી ગયા હતા. ભાજપના નેતાઓનો આરોપ છે કે પીએમની મુલાકાત પહેલા સંજયની જાણીજોઈને ધરપકડ કરવામાં આવી હતી. બીજી તરફ, સીએમ કેસીઆર વિશે વાત કરીએ તો, 12 નવેમ્બર, 2022 ના રોજ જ્યારે તેઓ રામાગુંડમ ફર્ટિલાઇઝર પ્લાન્ટ રાષ્ટ્રને સમર્પિત કરવા આવ્યા હતા ત્યારે પણ તેઓ પીએમ નરેન્દ્ર મોદીને મળ્યા ન હતા.

કેસીઆર ક્યારેય પીએમ મોદીનું સ્વાગત કરતા નથીઃ-

ગયા વર્ષે ફેબ્રુઆરીમાં સમાનતાની પ્રતિમાના અનાવરણ માટે મુલાકાતે આવેલા પીએમ મોદીને મળવાથી કેસીઆર દૂર રહ્યા હતા.

મે મહિનામાં પણ જ્યારે મોદી ઈન્ડિયન સ્કૂલ ઑફ બિઝનેસ (ISB) ના 20મા વાર્ષિક સમારોહમાં હાજરી આપવા માટે હૈદરાબાદમાં હતા ત્યારે કેસીઆરે પીએમનું સ્વાગત કરવાનું ટાળ્યું હતું.

આ પછી, 2 જુલાઈએ પણ, જ્યારે પીએમ બીજેપીની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક માટે પહોંચ્યા ત્યારે પણ સીએમએ મોદીનું સ્વાગત કર્યું ન હતું.

12 નવેમ્બર, 2022ના રોજ રામાગુંડમ ફર્ટિલાઈઝર પ્લાન્ટ રાષ્ટ્રને સમર્પિત કરવા આવ્યા ત્યારે પણ તેમણે પીએમ મોદીનું સ્વાગત કર્યું ન હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -