Homeટોપ ન્યૂઝઆ વર્ષે ચાર ધામ યાત્રા થશે કે નહીં? જાણો ઉત્તરાખંડ સરકારે શું...

આ વર્ષે ચાર ધામ યાત્રા થશે કે નહીં? જાણો ઉત્તરાખંડ સરકારે શું કહ્યુ

જોશીમઠ જમીનમાં ધસી રહ્યો હોવાથી અને ઠેર ઠેર રસ્તાઓમાં ગાડીઓ સમાઇ જાય એવી મોટી તિરાડો પડવાને કારણે હિંદુઓના પવિત્ર ચારધામમાંના એક બદ્રીનાથ ધામનો રસ્તો બંધ થઇ ગયો છે અને આ પવિત્ર વાર્ષિક યાત્રા સામે પ્રશ્નાર્થ ઊભો થયો છે. એવા સમયે બાબા કેદારનાથ અને બદ્રીનાથના ભક્તો માટે સારા સમાચાર છે. જોશીમઠમાં જમીન ધસવાની વચ્ચે ઉત્તરાખંડના મુખ્ય પ્રધાન પુષ્કર સિંહ ધામીએ કહ્યું છે કે ચાર ધામ યાત્રાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. જોશીમઠ સંકટ વચ્ચે સીએમ ધામીના નિવેદનથી હવે તમામ અટકળો પર પૂર્ણવિરામ મુકાઈ ગયું છે.

ચારધામ યાત્રાને લઈને સીએમ ધામીએ પોતાના નિવેદનમાં કહ્યું કે, “હું વારંવાર કહી રહ્યો છું કે જોશીમઠમાં 70% સામાન્ય જનજીવન સામાન્ય છે. અમે ચારધામ યાત્રાની તૈયારીઓમાં લાગેલા છીએ. મીડિયામાં જેવો હાઉ ઊભો કરવામાં આવ્યો છે, એવી કોઇ સમસ્યા નથી.

સીએમ ધામીના આવા નિવેદન બાદ લોકોના મનમાં ચારધામની યાત્રાને લઇને જે ભય ઊભો થયો હતો એનું નિવારણ થઇ ગયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -