Homeદેશ વિદેશ'કેન્દ્ર સચિવની બદલી નથી કરી રહ્યું', કેજરીવાલ ફરી કોર્ટમાં દોડ્યા

‘કેન્દ્ર સચિવની બદલી નથી કરી રહ્યું’, કેજરીવાલ ફરી કોર્ટમાં દોડ્યા

સુપ્રીમ કોર્ટના નિર્ણય છતાં, દિલ્હી અને કેન્દ્ર સરકાર વચ્ચેની લડાઈ અટકી નથી. દિલ્હી સરકારે ફરી કેન્દ્ર સરકાર પર આરોપ લગાવ્યો છે. અરવિંદ કેજરીવાલની આગેવાની હેઠળની દિલ્હી સરકારે ફરી કેન્દ્ર સરકાર પર આરોપો લગાવ્યા છે. એટલું જ નહીં દિલ્હી સરકાર અધિકારોના મુદ્દે ફરી એકવાર સુપ્રીમ કોર્ટના દરવાજા સુધી પહોંચી છે. સુપ્રીમ કોર્ટ પણ દિલ્હી સરકારની નવી અપીલ પર સુનાવણી કરવા સંમત થઈ ગઈ છે.

દિલ્હી સરકારે આરોપ લગાવ્યો છે કે કેન્દ્ર સેવા વિભાગના સચિવ આશિષ મોરેની બદલી નથી કરી રહી. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે કહ્યું કે તેઓ સરકારની અપીલની સુનાવણી માટે આવતા અઠવાડિયે આ વિષય પર બેંચની રચના કરશે.

ગુરૂવારે સુપ્રીમ કોર્ટે દિલ્હી અને કેન્દ્ર સરકાર વચ્ચે વર્ષોથી ચાલી રહેલા અધિકારોની લડાઈ પર મહત્વનો નિર્ણય આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે કેન્દ્રશાસિત પ્રદેશમાં બંને સરકારોની સત્તા નક્કી કરી છે. કોર્ટે ચુકાદો આપ્યો હતો કે જાહેર વ્યવસ્થા, પોલીસ અને જમીન જેવા કાર્યો કેન્દ્ર સરકાર પાસે રહેશે, જ્યારે દિલ્હી સરકાર પાસે કાયદાકીય અને વહીવટી નિયંત્રણ રહેશે. આ આદેશ ભારતના ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ અને જસ્ટિસ એમઆર શાહ, જસ્ટિસ કૃષ્ણ મુરારી, હિમા કોહલી અને પીએસ નરસિમ્હાની બનેલી પાંચ જજોની બંધારણીય બેંચે આપ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -