Homeટોપ ન્યૂઝમધ્ય પ્રદેશના ખરગોનમાં ૫૦ ફૂટ નીચે બસ નદીમાં ખાબકી: ૨૦ પ્રવાસીનાં મોત

મધ્ય પ્રદેશના ખરગોનમાં ૫૦ ફૂટ નીચે બસ નદીમાં ખાબકી: ૨૦ પ્રવાસીનાં મોત

મધ્યપ્રદેશમાં એક મોટો માર્ગ અકસ્માત થયો છે. શ્રીખંડીથી ઈન્દોર જઈ રહેલી બસ પુલ પરથી નીચે પડી હતી. આ અકસ્માતમાં લગભગ 20 મુસાફરોના મોતની આશંકા છે. ગ્રામજનોની મદદથી રાહત અને બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે.

પોલીસ અને વહીવટીતંત્રના અધિકારીઓના જણાવ્યા અનુસાર, મૃતકોની સંખ્યામાં વધારો થવાની સંભાવના છે – પોલીસ અને વહીવટીતંત્રના વરિષ્ઠ અધિકારીઓ સહિત ગ્રામજનો પણ બચાવ માટે ઘટનાસ્થળે પહોંચી ગયા છે. રેસ્ક્યુ ટીમ સતત લોકોને બહાર કાઢીને હોસ્પિટલ મોકલી રહી છે. પોલીસ અને પ્રશાસનના અધિકારીઓના જણાવ્યા અનુસાર મૃત્યુઆંક વધવાની આશંકા છે.

બોરાદ નદી સૂકી છે, જેના કારણે બસમાં મુસાફરી કરી રહેલા લોકો ઘાયલ થયા: –

આ બસ દુર્ઘટના ખરગોન થિકરી રોડ પર આવેલા દાસંગા ગામમાં થઈ હતી. અહીં બોરાદ નદીના પુલ પરથી બસ નીચે પડી હતી. બોરાદના 50 ફૂટ ઊંચા પુલ પરથી બસ નીચે પડતાં જાનહાનિ થઇ હતી.

લોકોએ જણાવ્યું કે બસ બેકાબૂ થઈને પુલ નીચે પડી ગઈ. બસમાં 35 જેટલા મુસાફરો સવાર હતા. બોરાદ નદી સૂકી છે જેના કારણે બસમાં સવાર અનેક મુસાફરો ઘાયલ થયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -