Homeસ્પેશિયલ ફિચર્સહિંદુ ધર્મમાં શા માટે બ્રહ્મમુહુર્ત કહેવાય છે સૌથી ઉત્તમ સમય?

હિંદુ ધર્મમાં શા માટે બ્રહ્મમુહુર્ત કહેવાય છે સૌથી ઉત્તમ સમય?

હિંદુ ધર્મમાં બ્રહ્મ મુહુર્ત મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. ધાર્મિક શાસ્ત્રોથી લઇને ઋષિ-મુનિઓ અને વડીલોએ આ મુરતને ખૂબ લાભદાયી જણાવ્યું છે. આ સમયને દેવોનો સમય માનવામાં આવ્યો છે. આ સમયે ઉઠવુ એ મનુષ્ય માટે સૌથી સારું માનવામાં આવે છે. આ સમયે ઉઠનારા લોકોની બુદ્ધિ તેજ થાય છે અને સ્વાસ્થ્ય પણ સારું રહે છે.

હિંદુ ધર્મમાં બ્રહ્મ મુહુર્ત એટલે સવારનો સમય. આ સમયે રાત પૂરી થાય છે અને દિવસની શરૂઆત થાય છે. બ્રહ્મ મુહૂર્તનો સમય સવારે 4 વાગ્યાથી લઇને 5 કલાકને 30 મિનિટ સુધીનો માનવામાં આવે છે. જેનો સમયગાળો દોઢ કલાકનો હોય છે. આ સમયે ઉઠવાથી બિમારીઓ ઘણી દૂર રહે છે. શાસ્ત્રો મુજબ, પ્રાચીન કાળથી ઋષિ-મુનિ આ સમયે ઉઠી જતા હતા અને સ્નાન કરીને ભગવાનની સાધનામાં લીન થતા હતા. આ સમય દેવોનો સમય માનવામાં આવે છે. એવી માન્યતા છે કે આ સમય દેવી-દેવતા અને પિતૃનુ આગમન થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -