Homeદેશ વિદેશપાકિસ્તાનમાં આત્મઘાતી બોમ્બ વિસ્ફોટમાં 9 જવાનો માર્યા ગયા

પાકિસ્તાનમાં આત્મઘાતી બોમ્બ વિસ્ફોટમાં 9 જવાનો માર્યા ગયા

પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં થયેલા બોમ્બ વિસ્ફોટમાં નવ પોલીસકર્મીઓના મોત થયા છે અને અન્ય કેટલાક ઘાયલ થયા છે, સ્થાનિક મીડિયાએ સોમવારે અહેવાલ આપ્યો હતો. પાકિસ્તાન સ્થિત અધિકૃત સૂત્રોના અહેવાલ મુજબ, સિબી અને કચ્છી સરહદો સાથે જોડાયેલા બલૂચિસ્તાનના બોલાન વિસ્તારમાં કમ્બરી પુલ પર આ ઘટના બની હતી. તેમાં કહેવામાં આવ્યું છે કે પ્રારંભિક તપાસ આત્મઘાતી હુમલા તરફ ઈશારો કરે છે, પરંતુ ઘટના અંગે વિગતવાર પૂછપરછ કરવામાં આવી રહી છે.

બલૂચિસ્તાન કોન્સ્ટેબલરીના સભ્યો ફરજ પરથી પરત ફરી રહ્યા હતા ત્યારે નજીકમાં વિસ્ફોટ થયો હતો. સૂત્રોએ ઉમેર્યું હતું કે “આત્મઘાતી બોમ્બર મોટરબાઈક પર સવાર હતો અને તેણે ટ્રકને પાછળથી ટક્કર મારી હતી. “બોમ્બ વિસ્ફોટ એટલો જબ્બર હતો કે પોલીસકર્મીઓ જે વાહનમાં મુસાફરી કરી રહ્યા હતા તે પલટી ગયા હતા. બલૂચિસ્તાન કોન્સ્ટેબલરી એ શહેરી પોલીસનો એક વિશેષ વિભાગ છે જે સંવેદનશીલ સ્થળોએ અને મહત્વપૂર્ણ ઘટનાઓ માટે સુરક્ષા પૂરી પાડે છે. સોશિયલ મીડિયા પર આ ઘટનાના વીડિયો અને ફોટોગ્રાફ્સ વાયરલ થયા છે, જેમાં પલટી ગયેલી સફેદ અને વાદળી પોલીસ વાનની લોહીલુહાણ મૃતદેહો રસ્તા પર વિખરાયેલા જોવા મળે છે. બલૂચિસ્તાનના મુખ્યમંત્રી મીર અબ્દુલ કુદુસ બિઝેન્જોએ હુમલાની નિંદા કરી અને મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. અત્યાર સુધી આ હુમલાની જવાબદારી કોઇ જૂથે લીધી નથી. બલૂચિસ્તાનના સમૃદ્ધ ગેસ અને ખનિજ સંસાધનોનું શોષણ કરવાનો આરોપ લગાવીને વંશીય બલોચ ગેરિલા દાયકાઓથી સરકાર સામે લડી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -