Homeઆમચી મુંબઈઠાકરે જૂથને ફરી મોટો ફટકો! નાસિક-પરભણીના 50 નેતાઓ શિંદે જૂથમાં જોડાયા

ઠાકરે જૂથને ફરી મોટો ફટકો! નાસિક-પરભણીના 50 નેતાઓ શિંદે જૂથમાં જોડાયા

શિવસેનાના ઠાકરે જૂથના નેતા સંજય રાઉત હાલમાં બે દિવસના નાસિક પ્રવાસ પર છે, ત્યારે મહારાષ્ટ્રના નાસિક અને પરભણીથી શિવસેનાના ઉદ્ધવ ઠાકરે જૂથ અને મહાવિકાસ અઘાડી માટે ફરી એકવાર ખરાબ સમાચાર છે. નાસિકના ઠાકરે જૂથના 50થી વધુ નેતાઓ અને પક્ષના અધિકારીઓ સીએમ એકનાથ શિંદેની હાજરીમાં શિંદે જૂથમાં જોડાયા હતા. જે સમયે આ નેતાઓ નાસિકમાં શિંદે જૂથમાં જોડાઈ રહ્યા હતા તે સમયે સંજય રાઉત મીડિયા સાથે તેમના પક્ષમાંથી જનારા લોકો વિશે વાત કરી રહ્યા હતા.
નાસિક ટૂર પર જતા પહેલા સંજય રાઉતે કહ્યું હતું કે, ‘જે લોકો બીજા જૂથમાં જાય છે તેમના નામ પણ મને ખબર નથી, શું તમે જાણો છો? જો તમને ચાર પદાધિકારીઓના નામ ખબર હોય તો જણાવજો. મને ખબર નથી. નાસિકમાં રહેતા લોકો પણ તેમનું નામ જાણતા નથી. થોડાક બ્રોકર-કોન્ટ્રાક્ટર પ્રકારના બીન મહત્વના લોકો ગયા જ હશે.
આ પહેલા પણ સંજય રાઉતની નાસિક મુલાકાત દરમિયાન 12 પૂર્વ મહિલા કાઉન્સિલર શિંદે જૂથમાં સામેલ થઈ હતી. ડેમેજ કંટ્રોલ કરવા માટે ઉદ્ધવ ઠાકરે જાન્યુઆરીના અંતમાં અહીં એક મોટી સભા કરવાના છે, પરંતુ તે પહેલા જ પાર્ટીને અહીં મોટો ફટકો પડ્યો છે.
નાસિકની જેમ પરભણીમાં પણ મહાવિકાસ આઘાડીના 30 થી વધુ નવા અને જૂના કોર્પોરેટરો શિંદે જૂથમાં જોડાયા હતા. ઠાકરે અને શિંદે જૂથ માટે પણ આને મોટો ફટકો માનવામાં આવે છે. પાથરી, પૂર્ણા, પાલમના શિવસેનાના ઠાકરે જૂથ અને રાષ્ટ્રીય સમાજ પક્ષ, એમઆઈએમ અને કોંગ્રેસના 30 કોર્પોરેટરો સીએમ એકનાથ શિંદેની હાજરીમાં પાર્ટીમાં જોડાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -