30 વર્ષ બાદ શનિ એના ઘરમાં આવ્યો છે. શનિ અખંડ સામ્રાજય યોગ બનાવી રહ્યો છે. જેની અસર આ ત્રણ રાશિના લોકો પર વધુ જોવા મળશે.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહ સમય-સમય પર પોતાની સ્થિતિ બદલતા રહે છે. તેનાથી વિવિધ રાશિના જાતકો પર અલગ-અલગ પ્રભાવ જોવા મળે છે. જ્યાં પર ગ્રહ બદલાય છે. તેનાથી દેશ દનિયામાં પણ તેનું પરિવર્તન જોવા મળે છે. જ્યારે કોઈ ગ્રહ પોતાનું સ્થાન બદલે છે તો ઘણા શુભ સંકેત લઈને આવે છે. તેનો પ્રભાવ દરેક રાશિના જાતકો પર જરૂર પડે છે. પરંતુ અખંડ સામ્રાજ્ય રાજયોગમાં ત્રણ રાશિના જાતકોને વધુ લાભ થવાનો છે.
મકર રાશિ
9 ફેબ્રુઆરીના રોજ ઉદય થયા બાદ શનિ અખંડ સામ્રાજય યોગ બનાવી રહ્યો છે. જેની અસર મકર રાશિના લોકો પર વધુ જોવા મળશે. શનિદેવ તમારી રાશિમાં ધન ભાવમાં ઉદિત થવાના છે. જેને ધન અને વાણીની ભાવના માનવામાં આવે છે. હવે તમારા અટવાયેલા પૈસા પણ પરત મળશે. આ સમયે તમારી વાણીનો પ્રભાવ જોવા મળશે. કાર્યસ્થળે માન-સન્માન વધશે અને વહીવટી ક્ષમતાઓ પણ વધશે. જે લોકો મીડિયા, ફિલ્મ લાઇન અને માર્કેટિંગમાં છે તેમના માટે આ સમય ઘણો સારો સાબિત થવાનો છે.
ધન રાશિ
ધન રાશિના લોકોની કુંડળીમાં શનિ ગ્રહ ત્રીજા ભાવમાં ઉદિત થવાના છે. જે તમારા માટે લાભકારક હશે. આ સમયે શનિદેવ બળવાન હોય છે. તેથી તમારી સાથે પરાક્રમમાં વૃદ્ધિ જોવા મળશે. સાથે ગોચર દરમિયાન તમારી આવકનો સ્ત્રોત પણ વધશે. સંપત્તિમાં રોકાણ કરેલા પૈસાનું ફળ મળશે. આગળ ચાલીને આ રોકાણ તમારા માટે સકારાત્મક પરિણામ લઈને આવશે.
મિથુન રાશિ
અખંડ સામ્રાજ્ય રાજયોગ મિથુન રાશિ માટે ખુબ અનુકૂળ સાબિત થશે, કારણ કે શનિદેવ તમારી રાશિના નવમાં ભાવમાં ઉદય થવાના છે. તેથી આ રાશિના જાતકોનું ભાગ્ય ચમકી જશે. તેના અટવાયેલા કામ પૂરા થશે. જે લોકો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યાં છે તેને સફળતા મળશે. આ સમયમાં કારોબારના સંબંધમાં તમે યાત્રા પણ કરી શકે છે. આ તમારા માટે ખુબ લાભકારી સાબિત થશે.