Homeતરો તાજાઆ સપ્તાહે મહિલા વર્ગમા માનસિક ઉદ્વેગ રહ્યા કરે

આ સપ્તાહે મહિલા વર્ગમા માનસિક ઉદ્વેગ રહ્યા કરે

આરોગ્યનાં એંધાણ – જ્યોતિષી આશિષ રાવલ

આ સપ્તાહમાં ગોચર ગ્રહોનું પરિભ્રમણ ગ્રહમંડળના રાજા સૂર્ય-વૃષભ રાશિમાં(શત્રુ ઘરમાં) હોવાથી વૃષભ સંક્રાંતિ, મંગળ-કર્ક, બુધ-મેષ, ગુરુ-મેષ,શુક્ર-મિથુન, શનિ-કુંભ(સ્વગૃહી), રાહુ-મેષ, કેતુ-તુલા રાશિમાં રહેશે.
આયુ, આરોગ્ય ની સુખાકારી માટે નો કારક-સૂર્ય-નૈસર્ગિક કુંડળીમાં બીજા ભાવે ભ્રમણ થવાથી નેત્ર પીડા ભોગવનાર દર્દીઓ વધે. યુવાવર્ગમાં ચશ્માંના નંબર વધી શકે તેમ જ આ અંગેનાં ઓપરેશનો આવી શકે. મોતિયાના ઓપરેશન શક્ય હોય તો ટાળશો.
વાહન અકસ્માત, આગ-અકસ્માતના બનાવો બનવાથી નાના મોટી શસ્ત્રક્રિયા સંભવ. સૂર્ય-રાહુ બીયા બારુ થવાથી આમ જનતામાં આત્મવિશ્ર્વાસ ધટે. ગૃહિણી મહિલા વર્ગમા માનસિક ઉદ્વેગ, અશાંતિ, અકારણ અજંપો રહ્યા કરે. ઉંમર લાયક જાતકોને શ્ર્વાસને લગતી તકલીફો વધે. ગરમ પવન ફુંકાવાથી તાવ જેવી બીમારીઓ વ્યાપક જોવા મળે. નાના બાળ શિશુઓ માટે વધુ આકરો સમય. મેષ રાશિમાં રાહુ ભ્રમણ કરતો હોવાથી દેવાધિદેવ મહાદેવના દર્શન ઉત્તમ. સાથે-સાથે ઊગતા સૂર્ય નારાયણ દેવતાને શુદ્ધ જળના કલશમાં સાકર નાખીને અર્ગ આપવાથી આરોગ્ય માટે શુભમય બની રહેશે. વિદ્યાર્થી વર્ગને વિદ્યા પ્રાપ્તિ માટે આત્મવિશ્ર્વાસ વધારશે!
મેષ રાશિના જાતકોને ગળામાં બળતરા વધે તેમજ એસીડીટી થવાની સંભાવના. ભૂખ ઓછી લાગે મોડી રાત્રિએ ઊંઘ આવવાથી અપૂરતી ઊંઘ થવાને કારણે તબિયત પર અસર થાય. દૈનિક કામકાજમાં સુસ્તી જણાય. દેવાધિદેવના દર્શન સાથે જળાભિષેક કરવો ઉત્ત્મ બનશે. તીખી તળેલી કોઈ પણ વાનગી ખાશો નહીં.
વૃષભ રાશિના જાતકોને વારંવાર પડવાના યોગ રચાઇ રહ્યા છે. ગળામાં ઇન્ફેક્શન સાથે બળતરા થવાની શક્યતાઓ રહેલી છે. ઇષ્ટદેવનો દીપ સવાર-સાંજ અવશ્ય કરવો તેની સાથો-સાથ કુળદેવીની પુજામાં પુષ્પ અર્પણ કરીને મંત્રોચ્ચાર કરવા.
મિથુન રાશિના જાતકોને બારમે સૂર્ય ભ્રમણ માનસિક ઉશ્કેરાટ આપે. નેત્ર પીડા હોય તો વધી શકે. ઊંઘ ઓછી આવે જેને કારણે તબિયત કથળી શકે. નવગ્રહના મંત્ર ગણશો તેમ જ રાત્રિએ ગાયત્રીમંત્રની એક માળા કરવી.
કર્ક રાશિના જાતકોને ગરમીમાં લૂ લાગી શકે તેમ જ ઝાડા, ઉલ્ટી થવાની શક્યતાઓ રહેલી છે. મનોમન ઇષ્ટદેવનું સ્મરણ કરવાથી તબિયત પર સુધારો જોવા મળશે.
સિંહ રાશિના જાતકોને છાતીમાં સામાન્ય દુખાવો સંભવ. સ્વભાવમાં ઉગ્રતા આવવાથી આરોગ્ય બાબતે કાળજી રાખવી. આદિત્ય નારાયણ સ્તોત્રનો પાઠ કરવાથી રાહત ચોક્કસ જણાશે.
ક્ધયા રાશિના જાતકો ને પેટના આતરડાને લગતી તકલીફો આકસ્મિક આવી પડે. કમરનો દુખાવો પણ સંભવ. યોગ્ય ડૉક્ટરની સલાહ સૂચન મુજબ નિયમિત દવા કરશો તેમ જ દેવાધિદેવ મહાદેવને મગ અર્પણ કરીને શુદ્ધ જળનો અભિષેક કરશો.
તુલા રાશિના જાતકોને તાવ, શરદી, ઉધરસ, અશક્તિ, ચક્કર આવવાની ફરિયાદ બની શકે. નિત્ય ઈસ્ટ ઉપાસના સાથો-સાથ કુળદેવીના ધૂપ અગરબત્તી અવશ્ય કરવા.
વૃશ્ર્ચિક રાશિના જાતકોને હજુ પણ ચામડીના દર્દો વકરી શકે. ઊંઘ ન આવવાની સમસ્યાઓ વધી શકે. ગુપ્ત શત્રુઓનો ભય સતાવે. કુળદેવીની ઉપાસના,આરાધના ફળે. કુવારિકાને ભેટ સોગાદ આપશો.
ધન રાશિના જાતકો માટે વજન વધવાની સંભાવના.છાતી પર ખંજવાળ અકારણ આવવાથી શરીર પર ચાઠાં થાય.
ડાયાબિટીસ હશે તો તકલીફ યથાવત રહેશે. માનસિક ઉદ્વેગ ચિંતા રાખશો નહીં. ગુરુ મંત્રની એક માળા કરશો.
ભૂદેવના આશીર્વાદ પ્રાપ્ત કરવાથી અસાધ્ય બીમારીઓ મટી જશે.
મકર રાશિ ના જાતકોને ઘૂંટણમાં પાણી ભરાય જેને કારણે તબિયત બગડે, યુરિનમાં ઇન્ફ્ેક્શન આવી શકે. મોડી રાત્રિએ તાવ આવે, ઊંઘ અનિયમિત આવે. સવારે કાચા તેલનો દીપ હનુમાનની તસવીર સામે કરવો. નિત્ય હનુમાન ચાલીસાનું પઠન કરવું.
કુંભ રાશિના જાતકોને પગના તળિયામાં બળતરાઓ થઈ શકે. કબજિયાતની તકલીફ ચાલુ રહે. અનાથ આશ્રમમાં યથાશક્તિ મદદ કરવી. કાચા ફ્રૂટ ગરીબોને વહેંચવા.
મીન રાશિના જાતકોને શ્ર્વાસમાં તકલીફ જણાય તેમ જ વજન વધવાની સંભાવના. ગુરુ મંત્ર અવિરત જાપ કરવો.
પીળા રંગની વસ્તુઓ બાહ્મણને દાન આપવાથી આરોગ્ય માટે રાહત મળશે.
આ સપ્તાહમાં સૂર્ય ગ્રહનું વૃષભ સંક્રાંતિમાં પરિભ્રમણ હોવાથી શુદ્ધ જળમાં સાકર નાખીને અર્ધ્ય આપવાથી
આરોગ્યની સુખાકારી માટે હિતાવહ રહેશે. પાણી અને વાણીનો સમય અનુસાર યોગ્ય ઉપયોગ કરશો.
લીંબુના રસનું સેવન હિતાવહ બની રહે. મોડી રાત્રિએ ભોજન કરવાનું ટાળશો.
અસત્ય વચન,માસ,મદિરાનું સેવન કરતા હો તો છોડી દેજો. તેનાથી બગડેલ આરોગ્ય તાત્કાલિક સુધરશે.
સંધ્યા સમયે તુલસી ક્યારે દીપ પ્રગટાવી અગરબત્તી કરશો. આ કરવાથી પરિવારમાં રોગ, માંદગીના અશુભ વૈચારિક વાતાવરણ તૂટશે. સંધ્યા સમયે પથારી પર સૂવા નું ટાળશો. પોતાની જાતે મેડિકલ દવા લેશો નહીં. ઉ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -