આરોગ્યના એંધાણ -જ્યોતિષી આશિષ રાવલ
આ સપ્તાહના ગ્રહયોગોમાં કોઈપણ ગ્રહ રાશિ પરિવર્તન થતા નથી. ગ્રહ ગોચરમાં ગુરુ-મીન, શનિ-કુંભ રાશિમાં સ્વગૃહી પરિભ્રમણ કરશે.સૂર્ય-શનિની યુતિ
કુંભ રાશિમાં અંશાત્મક આગળ વધશે. આરોગ્યની સુખાકારી માટે વહેલી સવારે હુફાલા ગરમ પાણીથી સ્નાદી પરવારી શુદ્ધ જળનો અર્ગ ઉગતા સૂર્યને આપવાથી આયુ, આરોગ્યની બાબતે સુખાકારી બની રહેશે.
ભાસ્કરને જલ અર્પણ કરીને નમસ્કાર કરવાથી તમામ રાજાદી ગુણો સહજતાથી મલે છે. સપ્તાહમા ઠંડીના સુસવાટા ભર્યા ઝડપી પવનો વધુ ફુકાવાથી શરદી, કફ, ઉધરસ તથા તાવ થી પીડીત દર્દીઓ વધવાની સંભાવના વિશેષ રહેલી છે.
તુલસીના પાન સાથે દહીં સાથે ચાવીને ખાવાથી બગડેલ તબિયત તાત્કાલિક સુધરતી જોવા મળે. મોટી ઉંમરના શ્ર્વાસથી પીડિત જાતકો માટે ખૂબજ કાળજી રાખવી. નવજાત શિશુને તડકા નીચે થોડો સમય રમવા દેશો. માનસિક રોગોથી પીડિત દર્દીઓને બેસનને લગતી ચીજવસ્તુઓ ખવડાવશો તો માનસિક રાહત ચોક્કસ જણાશે. લાંબા સમયથી પીડિત દર્દીઓ માટે તાજા શાકભાજીના સેવન સાથે ગરમાગરમ રસોઈ જમવાથી ચોક્કસ રાહત જણાશે. ભદ્રકાળી માતાજીના નામ-સમરણ તથા ઉપાસના આરાધના કરવાથી શારીરિક કષ્ટ કપાશે. ગૃહિણી મહિલા જાતકોને માનસિક અશુભ અસર વર્તાય તેને કારણે રાત્રિએ ઊંઘ ઓછી આવે. યુવાવર્ગને રાત્રિના સમયે નશીલા પદાર્થોના સેવન કરવાથી તબિયત ઓચિંતા બગડે. સવાર-સાંજ શુદ્ધ ઘીના દિપકમાં થોડુ વધારે ઘી પૂરો જેથી લાંબા સમય સુધી દીપ ચાલુ રહેશે તેને કારણે તેના સૂક્ષ્મ તરંગોથી ઘર પરિવારમા માંદગી હશે તો ચોક્કસ તેમા રાહત મળશે.
મેષ રાશિના જાતકોઓને સામાજિક સેવામાં વધુ પડતું દોડધામ કરવાને કારણે રાત્રે ઊંઘ ઓછી આવવાથી તબિયત લથડે. રાત્રિના સમયે ખીચડી અવશ્ય ખાશો. તમારા ઇષ્ટદેવ સાથે કુળદેવીના નામ સ્મરણ કરવાથી શારીરિક રાહત લાગશે.
વૃષભ રાશિના જાતકોને ગળામાં તકલીફ થવાની ફરિયાદ અવાર-નવાર બની રહે. દેવાધિદેવ મહાદેવને
જળાભિષેકમાં કાળા તલ નાખીને જળ ચડાવશો. બગડેલ આરોગ્યમાં રાહત ચોક્કસ જણાશે. અનુકૂળતા મુજબ ગરીબ કુરબાને દાન દક્ષિણા અવશ્ય આપશો.
મિથુન રાશિના જાતકોને આ સપ્તાહમાં ચક્કર આવવાના તેમજ બી.પી. વધવાની સમસ્યા હજુ પણ ચાલુ રહેશે. યોગ્ય ડૉક્ટરની દવા સાથે આરામ આવશ્યક છે. મગ-ભાત સાથે ગરમાગરમ કઠોળનો નાસ્તો કરશો. હનુમાન ચાલીસાના પાઠ નિયમિત કરશો. શક્ય હોય તો ગૌ સેવા પણ કરશો.
કર્ક રાશિના જાતકોને માટે આ સપ્તાહમાં આરોગ્ય માટે સુખમય બની રહેશે કોઈ પણ પ્રકારની માનસિક ચિંતા કરવાની અવશ્યક રહેતી નથી. રાત્રિના સમયે સૂતા પહેલા ચંદ્ર ગ્રહના મંત્રની એક માળા અવશ્ય ગણવી.
અજાણી જગ્યાએ પાણી પીવું નહીં. અનુકૂળતા હોય તો ગાયત્રી મંત્રની પણ એક માળા અવશ્ય કરશો.
સિંહ રાશિના જાતકોને વધુ પડતી ઠંડી લાગવાને કારણે દુ:ખાવો સાથે હોસ્પિટલમાં એડમિટ થવાના ગ્રહયોગો સૂચવે છે. શક્ય બને તેટલું મૌન રહેવાનો પ્રયત્ન કરશો તેમ જ કાળા અને બ્લુ કલરના કપડા પહેરશો નહીં.ભોજનમાં ચોખા વધુ વાપરશો. બજારુ મીઠાઈ ખાશો નહીં.
ક્ધયા રાશિના જાતકો ને કબજિયાતની તકલીફ પુન: ચાલુ થાય. મનોમન બુધ ગ્રહના જાપ કરવાથી વિશેષ લાભ ફાયદો જણાય. નિત્ય શિવજીના દર્શન અવશ્ય કરશો. તેનાથી આરોગ્ય બગડેલ સુધરશે.
તુલા રાશિના જાતકોને સીઝનલ બિમારીઓનો શિકાર થવાય. વધુ પૂરતી ઊંઘ આવવાને કારણે દિનચર્યા ખોરંભે ચડે.મહાલક્ષ્મી, મહાકાળીના મંત્ર જાપ તેમ જ ધૂપ અગરબત્તી કરવાથી લાભપ્રદ બની રહે.
વૃશ્ર્ચિક રાશિના જાતકોને દાંતની સમસ્યા ઓચિંતા વધે. યુરીનમાં બળતરાઓ થવાની સંભાવના રહેલી છે. શનિ ગ્રહના મંત્રો કરવાથી વિશેષ રાહત જણાશે. તેમ જ ગુરુ મંત્રનો જાપ અવિરત કરશો.
ધન રાશિના જાતકોને ડાયાબિટીસ માટે વધુ કાળજી અવશ્ય રાખવી. નિયમિત દવા સાથે પરેજી પાળજો. નવગ્રહના નિયમિત જાપ કરશો. પોતાની નિત્ય ઈસ્ટ ઉપાસના કરશો. ચણાની દાળ ગુરૂવારે ખવડાવશો.
મકર તથા કુંભ રાશિના જાતકોને વાયુ ચડવાની સમસ્યાઓ વકરે. યોગ્ય નિદાન દાક્તર કરી શકશે. કબજિયાતની સમસ્યાઓ પણ વધી શકે. વાહન અકસ્માત સંભવ. હનુમાનજી ચાલીસાના પાઠ અવશ્ય કરશો. પશુ-પંખીની જીવદયા ચાલુ રાખશો. ગરીબોને ગરમ કપડાનું દાન આપશો.
મીન રાશિના જાતકોને પેટ તથા પગના તળિયામાં તકલીફ થવાની સંભવ. મહાદેવજીના દર્શન કરવાથી સમસ્યાઓમાં રાહત જણાશે. ગુરુના મંત્ર જાપ હરતા ફરતા કરશો. દરેક રાશિના જાતકોએ રાત્રે માટલાનું ભરેલું પાણી વહેલી સવારે ત્રણ થી ચાર ગ્લાસ પીવાથી કથડેલ આરોગ્ય સુધરશે. ચણા તથા મગફળીનું દાન યથા શકિત કરવુ. શુદ્ધ ઘી નો દીપ તુલસી કયારે સાંજે પ્રગટાવવાનુ ભૂલશો નહીં સાથોસાથ ગૂગળનો ધૂપ નિયમિત કરશો. બગડતા આરોગ્યમાં સુધારો જોવા મળશે. ઉ