अनित्याति शरीराणि,
वैभवो नैव शाश्वतः ॥
सदा सन्निहितो मृत्युः,
कर्तव्यो धर्म संग्रहः ॥3॥
– સુભાષિત સંગ્રહ
ભાવાર્થ:- શરીર અનિત્ય છે, વૈભવ પણ શાશ્ર્વત નથી, એટલે કાયમ ટકનાર નથી. મૃત્યુ આપણી પાસે જ છે. એટલે જન્મેલાનું મૃત્યુ નિશ્ર્ચિત છે, માટે મનુષ્યજીવનને સાર્થક કરવું હોય તો દરેક જીવે ધર્મનો સંગ્રહ એટલે ધર્મનું આચરણ કરવું જોઇએ. અસ્તુ. -સંપાદક: આચાર્ય શાસ્ત્રીજી ડાહ્યાભાઇ પ્રલ્હાદજી વ્યાસ (ટીન્ટોઇ)