દેશભરમાં રામનવમીની ઉજવણી કરવામાં આવી રહી છે. લોકો રામનવમીના ભક્તિમાં રંગાઇ રહ્યા છે અને રામપર્વનો આનંદ માણી રહ્યા છે, પરંતુ આ દરમિયાન કેટલાક આઘાતજનક દુર્ઘટનાના સમાચાર પણ આવી રહ્યા છે. આંધ્ર પ્રદેશના પશ્ચિમ ગોદાવરીમાં વેણુગોપાલ મંદિરમાં મોટી દુર્ઘટના ઘટી છે. અહીં મંદિરમાં આગ લાગવાને કારણે હોબાળો મચી ગયો છે.
આધારભૂત સૂત્રોના જણાવ્યા અનુસાર શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. થોડી જ વારમાં આગ કાબૂ બહાર ગઈ હતી.
#WATCH | Andhra Pradesh: Fire breaks out at a temple in Duva village in West Godavari district during Rama Navami celebrations. No casualties reported. pic.twitter.com/IsHdVh2Tcd
— ANI (@ANI) March 30, 2023
થોડી જ વારમાં આગે પંડાલને લપેટમાં લઈ લીધો હતો. આ દુર્ઘટના બાદ આ વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. અત્યાર સુધી કોઈ પણ પ્રકારના જાન-માલના નુકસાનના સમાચાર સામે આવ્યા નથી. જો કે સમાચાર આવી રહ્યા છે કે બચાવ કાર્ય હજુ ચાલુ છે, પરંતુ હજુ સુધી આગ લાગવાનું ચોક્કસ કારણ બહાર આવ્યું નથી. આગના સમાચાર મળતા જ ફાયર બ્રિગેડ પહોંચી ગઈ છે અને આગ પર કાબૂ મેળવવાનો સતત પ્રયાસ કરી રહી છે.
વધુ માહિતીની રાહ જોવાઇ રહી છે.