Homeઆમચી મુંબઈબોમ્બે હાઈ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ અભય થિપ્સેએ વ્યક્ત કર્યો અફસોસ: બદલાતી માનસિકતાને...

બોમ્બે હાઈ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ અભય થિપ્સેએ વ્યક્ત કર્યો અફસોસ: બદલાતી માનસિકતાને કારણે ન્યાયવ્યવસ્થાનું સ્વાતંત્ર્ય જોખમમાં

મુંબઈ: વર્તમાન સમયના શાસકો ન્યાયતંત્રમાં ફક્ત તેમની રેન્કમાંથી અને તેમની તરફેણના લોકોની ભરતી કરવા માગે છે. બોમ્બે હાઈ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ અભય થિપ્સેએ અફસોસ વ્યક્ત કર્યો હતો કે શાસકોની આ બદલાયેલી માનસિકતાના કારણે ન્યાયતંત્રની સ્વતંત્રતા જોખમમાં આવી ગઇ છે. આથી ન્યાયાધીશો પર કેસનો નિર્ણય લેવાનું દબાણ લોકશાહી માટે જોખમી છે. ન્યાયતંત્રમાં કામ કરતા વકીલોએ આ માટે પહેલ કરવી જોઇએ અને આવું વાતાવરણ સર્જવા માટેનો ઉકેલ શોધવો જોઇએ, એવું પણ થિપ્સેએ આ સમયે જણાવ્યું હતું. ન્યાયવ્યવસ્થા-લોકશાહીનો આધારસ્તંભ વિષય પર આયોજિત કાર્યક્રમમાં થિપ્સે બોલી રહ્યા હતા. ન્યાયસંસ્થા એ લોકશાહીનો એક પ્રમુખ આધારસ્તંભ છે. સમાજના દરેક ઘટકોના આર્થિક અને સામાજિક ઉત્થાન માટે લોહીનું એક પણ ટીપું વહાવ્યા વિના કરવામાં આવે છે તે લોકશાહી. આ લોકશાહીમાં ન્યાયતંત્રની મુખ્ય ફરજ દેશના તમામ નાગરિકોના મૂળભૂત અધિકારોનું રક્ષણ કરવાની છે, એવું થિપ્સેએ જણાવ્યું હતું. વર્તમાન સમયમાં આપણે બદલાયેલી રાજકીય નીતિઓની ન્યાયતંત્ર પર અને લોકશાહી પરની અસરને જોઇએ છીએ. તેથી અમે તાજેતરમાં જોયું છે કે કેસની સુનાવણી કરતી વખતે ન્યાયાધીશો દબાણ હેઠળ છે. ક્યારેક કોર્ટમાં સારા નિર્ણયો લેવામાં આવે છે તો ક્યારેક ખોટા નિર્ણયો લેવામાં આવે છે. સમાજમાં સારા નિર્ણયોની પ્રશંસા થાય છે, પરંતુ ખોટા નિર્ણયોની ચર્ચા થતી નથી. આ સંપૂર્ણપણે ખોટું છે. જેમ સારા નિર્ણયોની પ્રશંસા થતી હોય છે એમ કોર્ટના ખોટા નિર્ણયોની પણ ચર્ચા થવી જોઇએ. આ માટે ન્યાયતંત્રનો એક અલગ વિભાગ હોવો જોઇએ, એવું થિપ્સેએ વધુમાં જણાવ્યું હતું.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -