Homeટોપ ન્યૂઝઆ 5 જીવોને ભોજન કરાવ્યા વિના શ્રાદ્ધ કર્મ અધૂરું ગણાય છે –...

આ 5 જીવોને ભોજન કરાવ્યા વિના શ્રાદ્ધ કર્મ અધૂરું ગણાય છે – બોમ્બે સમાચાર

[ad_1]





એમ કહેવાય છે કે પિતૃ પક્ષ પર આપણા પૂર્વજો પૃથ્વી પર આવે છે અને આપણને આશિર્વાદ આપે છે. આ પૂર્વજો પ્રાણી, પક્ષીના રૂપમાં આપણી નજીક આવે છે. આ પ્રાણી અને પક્ષીઓને ખોરાક આપવામાં આવે છે. એમ માનવામાં આવે છે કે આ પ્રાણી અને પક્ષીઓના રૂપમાં પિતૃઓ ખોરાક લે છે. શ્રાદ્ધમાં ગાય, કૂતરા, કાગડો અને કીડી જેવા પ્રાણીઓને અન્ન આપવામાં આવે છે, તો જ શ્રાદ્ધ કર્મ પૂરું થયું એમ માનવામાં આવે છે. શ્રાદ્ધ સમયે પિતૃઓને અર્પણ કરાયેલા ભોજનના પાંચ ભાગ – ગાય, કૂતરો, કીડી, કાગડો અને દેવતાઓ માટે લેવામાં આવે છે. આ પાંચ ભાગ અર્પણ કરવાને પંચબલિ કહે છે.
આ વર્ષે પિતૃ પક્ષ 10 સપ્ટેમ્બરથી 25 સપ્ટેમ્બર સુધી ચાલશે. શ્રાદ્ધમાં ભોજન પહેલાં પાંચ અલગ-અલગ જગ્યાએ ભોજનનો નાનો ભાગ કાઢવામાં આવે છે. કૂતરો એ પાણીના તત્વનું પ્રતીક છે. કીડી અગ્નિનું તત્વ, વાયુના તત્વનો કાગડો, ગાય પૃથ્વીના તત્વને અને આકાશ તત્વ દેવતા દર્શાવે છે. આ રીતે, આ પાંચને ભોજન આપીને આપણે પાંચ તત્વો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરીએ છીએ. ગાયમાં જ પાંચ તત્વો એકસાથે જોવા મળે છે. તેથી પિતૃપક્ષમાં ગાયની સેવા વિશેષ ફળદાયી માનવામાં આવે છે. માત્ર ગાયને ખવડાવવાથી પણ પિતૃઓને તૃપ્તિ મળે છે અને શ્રાદ્ધ વિધિ પૂર્ણ થાય છે.
પિતૃપક્ષમાં ગાયની સેવા કરવાથી પિતૃઓને મોક્ષ મળે છે. તેમજ જો ગાયને ચારો ખવડાવવામાં આવે તો તે બ્રાહ્મણ ભોજન સમાન છે. પિતૃપક્ષમાં પંચ ગવ્યનો ઉપયોગ કરવામાં આવે તો પિતૃ દોષમાંથી મુક્તિ મળી શકે છે. તેમજ ગાયનું દાન કરવાથી દરેક પ્રકારના ઋણ અને કર્મમાંથી મુક્તિ મેળવી શકાય છે. પિતૃઓને પિંડ દાન કરવું અને દાન કાર્ય કરવું પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે.



Post Views:
202




[ad_2]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -