Homeટોપ ન્યૂઝઆ દિગ્ગજ નેતાએ કૉંગ્રેસને આપ્યો ઝટકો, AAPની પણ વધારી ચિંતા

આ દિગ્ગજ નેતાએ કૉંગ્રેસને આપ્યો ઝટકો, AAPની પણ વધારી ચિંતા

[ad_1]





પંજાબના રાજકારણમાંથી મોટા સમાચાર આવી રહ્યા છે. પંજાબના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને પંજાબ લોક કોંગ્રેસના વડા કેપ્ટન અમરિન્દર સિંહ આવતા અઠવાડિયે ભાજપમાં જોડાશે. તેઓ તેમની નવી બનેલી પાર્ટી પંજાબ લોક કોંગ્રેસ (PLC)નો ભાજપમાં વિલય પણ કરશે.
કેપ્ટન અમરિન્દર સિંહ તાજેતરમાં જ દિલ્હીમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને મળ્યા હતા. “કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ જી સાથે ખૂબ જ ફળદાયી બેઠક થઈ. રાષ્ટ્રીય સુરક્ષા, પંજાબમાં નાર્કો-આતંકવાદના વધતા કેસ અને પંજાબના સર્વાંગી વિકાસ માટે ભાવિ રોડમેપને લગતા વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી,” એમ કેપ્ટન અમરિન્દર સિંહે ટ્વિટ કર્યું હતું. પંજાબ વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ સાથેના સંબંધો તોડી નાખનાર અમરિંદર સિંહે ભાજપ સાથે ગઠબંધન કરીને ચૂંટણી લડી હતી.
કોંગ્રેસના ભૂતપૂર્વ દિગ્ગજ નેતા, અમરિન્દરે ગયા વર્ષના નવેમ્બરની શરૂઆતમાં પાર્ટીના સભ્યપદેથી રાજીનામું આપ્યું હતું. કોંગ્રેસ નેતૃત્વ દ્વારા તેમના સ્થાને ચરણજીત સિંહ ચન્નીને સીએમ બનાવવામાં આવ્યા હતા. કોંગ્રેસ છોડ્યા પછી, અમરિંદરે 20 ફેબ્રુઆરીએ પંજાબ વિધાનસભાની ચૂંટણીના ભાગરૂપે નવી પાર્ટી પંજાબ લોક કોંગ્રેસ (PLC)ની રચના કરી હતી. જોકે, તેમની પાર્ટીના ઉમેદવારો ખરાબ રીતે હારી ગયા હતા. તેઓ પોતે પણ પતિયાલાથી હારી ગયા હતા. પંજાબ વિધાન સભાની ચૂંટણીમાં આપનો વિજય થયો હતો અને તેમણે સરકાર રચી હતી.



Post Views:
13




[ad_2]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -